SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ, બંધન અને મોક્ષ 2.દર્શનાવરણીય કર્મઃ જે કર્મ દેવ, ગુરુ અને શાસ્ત્ર (સદ્ગથ) પ્રત્યે જીવના ઉચિત શ્રદ્ધા-વિશ્વાસ (દર્શન)ને ઢાંકી લે છે અથવા પ્રભાવિત કરે છે, તેમને દર્શનાવરણીય કર્મ કહે છે. 3. વેદનીય કર્મઃ જે કર્મ જીવના સ્વાભાવિક અનંત સુખને ઢાંકીને અથવા પ્રભાવિત કરીને તેમાં સાંસારિક દુઃખ-સુખ ઉત્પન્ન કરે છે, તેમને વેદનીય કર્મ કહે છે. 4.મોહનીય કર્મઃ જે કર્મ ઉચિત શ્રદ્ધા-વિશ્વાસ અને ઉચિત ચારિત્ર (મોક્ષ તરફ લઈ જતા વિચારો અને આચરણો)ને ઢાંકીને કે પ્રભાવિત કરીને ભ્રમ અને મોહ ઉત્પન્ન કરે છે. આ કારણે જીવ ધન-સંપત્તિ, પરિવાર વગેરેના મોહમાં પડીને સાંસારિક જાળમાં ઊલઝાઈ જાય છે. સાંસારિક વસ્તુઓ અને વ્યકિતઓના મોહમાં ઊલઝાયેલો જીવ સદા વિષય-સુખની આશામાં જ દોડતો રહે છે અને પોતાના વાસ્તવિક લક્ષ્યથી વિમુખ થઈ જાય છે. એટલા માટે મોહનીય કર્મને જીવનો સૌથી મોટો શત્રુ અને આવાગમનના ચક્રનું મૂળ કારણ માનવામાં આવે છે. અઘાતિયા કર્મના ભેદઃ 1.આય કર્મઃ જે કર્મ જીવની આયુ, અર્થાત્ આગળના જીવનની અવધિ, નિશ્ચત કરે છે, તેમને આયુ કર્મ કહે છે. 2.નામ કર્મઃ જે કર્મ આ વાતોને નિશ્ચિત કરે છે કે જીવ કઈ યોનિમાં કેવા પ્રકારના સુંદર કે કુરૂપ શરીરની સાથે તથા કેવા પ્રકારના ગુણો અને શક્તિઓની સાથે જન્મ લેશે, તેમને નામ કર્મ કહે છે. 3.ગોત્ર કર્મઃ જે કર્મ જીવના આગલા જન્મની પરિસ્થિતિઓ અને વાતાવરણને નિશ્ચિત કરે છે અને એ નિર્ધારિત કરે છે કે તે કયા દેશ, સમાજ, કુળ અને પરિવારમાં પેદા થશે, તેમને ગોત્ર કર્મ કહે છે. 4.અંતરાય કર્મઃ જે કર્મ જીવના સત્કર્મ કરવાની ઈચ્છામાં રૂકાવટ ઊભી કરે કે વિદન નાંખે છે, તેમને અંતરાય કર્મ કહે છે. અંતરાય કર્મો ના જ કારણે જીવ ચાહવા છતાં પણ અનુકૂળ સાધનો અને પરિસ્થિતિઓ હોવા છતાં પણ ઉચિત માર્ગ પર ચાલી શકતો નથી. કારણ કે અઘાતિયા કર્મોનો સંબંધ કેવળ આગળના એક જીવન સાથે જ હોય છે, એટલા માટે તેઓ તે વિશેષ જીવન-કાળમાં પોતાનું ફળ આપીને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy