SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મનું સ્વરૂપ મોહરહિત સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મોક્ષમાર્ગ પર સ્થિત છે, પરંતુ મોહ પામેલ મુનિ મોક્ષમાર્ગ પર સ્થિત નથી, કારણ કે મોહી (મોહગ્રસ્ત) મુનિ કરતાં નિર્મોહી (મોહરહિત) ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવે છે.80 કેટલાક લોકો સ્વયં નિર્મળ થયા વિના માત્ર યશ પ્રતિષ્ઠા કે ધન પ્રાપ્તિના લોભથી બીજાઓને ધર્મનો ઉપદેશ આપતા ફરે છે. આ સંબંધમાં પંડિત ટોડરમલે કહ્યું છેઃ વક્તા કેવો હોવો જોઈએ કે જેને શાસ્ત્ર વાંચીને આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોય; કારણ કે, જો આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શક્તો નથી, જો વક્તા લોભી હોય તો વક્તા સ્વયં હીન થઈ જાય. એટલા માટે જે આત્મરસનો રસિયો વક્તા છે, તેને જિન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. ... એવો જે વક્તા ધર્મબુદ્ધિથી ઉપદેશદાતા હોય તે જ પોતાનું તથા અન્ય જીવોનું ભલુ કરે અને જે કષાય બુદ્ધિ (રાગ, દ્વેષ, મોહ, માયા, લોભ આદિથી ભરેલી બુદ્ધિ)થી ઉપદેશ આપે છે તે પોતાનું તથા અન્ય જીવોનું બૂરું કરે છે – એવું જાણવું 81 ગણેશપ્રસાદ વર્ણીએ પણ ખૂબ જ સ્પષ્ટ રૂપે કહ્યું છેઃ 69 તમે જ્યાં સુધી નિર્મળ ન થાઓ ત્યાં સુધી ઉપદેશ આપવાને પાત્ર થઈ શકતા નથી.82 ધર્મના આ વાસ્તવિક મર્મને પૂરી રીતે ન જાણનારા કે પોતાના લોભવશ બીજાઓને ઉપદેશ આપનારા લોકો જન-સાધારણને અનેક પ્રકારની બહિર્મુખી ક્રિયાઓ કે હઠકર્મોમાં ઉલઝાવી દે છે જેનાથી તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જૈન ધર્મમાં એવા કર્મો કરવા ‘લોકમૂઢતા’ છે. ધર્મના નામ પર આ પ્રમાણે પ્રપંચ ફેલાવનારાઓ ફક્ત બીજાઓને જ નહીં, બલકે પોતાને પણ ધોખો આપે છે. પોતાનું જીવન નિષ્ફળ બનાવી લે છે. એની તરફ ધ્યાન અપાવતાં શુભચંદ્રાચાર્ય કહે છેઃ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy