SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મનું સ્વરૂપ નરકરૂપી અંધકૂપમાં સ્વયં પડતા જીવોને ધર્મ જ પોતાના સામર્થ્યથી, જાણે કે હાથનો સહારો આપીને, બચાવે છે. ધર્મ પરલોકમાં જીવની સાથે જાય છે, તેની રક્ષા કરે છે, નિશ્ચિત રૂપે તેનું હિત કરે છે તથા તેને સંસારરૂપી કીચડમાંથી કાઢીને નિર્મળ મોક્ષમાર્ગમાં સ્થાપિત કરે છે. ધર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિતેચ્છુ છે અને ધર્મ જ વિના કારણે અનાથોની પ્રીતિપૂર્વક રક્ષા કરનારો છે. એટલા માટે પ્રાણીને ધર્મ સિવાય બીજું કોઈ શરણ નથી. એટલા માટે ગણેશપ્રસાદજી વર્ણીએ કહ્યું છેઃ ધર્મથી ઉત્તમ વસ્તુ સંસારમાં નથી. ધર્મમાં જ તે શક્તિ છે કે સંસાર બંધનમાંથી છોડાવીને જીવોને સુખ-સ્થાનમાં પહોંચાડી દે.47 53 એવા ધર્મને ગ્રહણ કરવામાં આપણે ભૂલથી પણ વિલંબ કરવો જોઈએ નહીં અને એને જલદી-જલદી અપનાવીને પોતાના ઉદ્ધારના કાર્યમાં લાગી જવું જોઈએ, ત્યારે આપણે પોતાના જીવનને સફળ બનાવી શકીશું. એટલા માટે કુરલ કાવ્ય આપણને વિલંબ વિના ધર્મકાર્યમાં લાગવા માટે આ શબ્દોમાં પ્રેરિત કરે છેઃ એ ન વિચારો કે હું ધીરે-ધીરે ધર્મ માર્ગનું અવલંબન કરીશ. પરંતુ અત્યારે વિલંબ કર્યા વિના જ શુભ કર્મ કરવાનું પ્રારંભ કરી દો, કારણ કે ધર્મ જ તે અમર મિત્ર છે, જે મૃત્યુના સમયે તારો સાથ આપનારો છે.48 આ વાતો પર ધ્યાન આપીને આપણે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજીને દૃઢ સંકલ્પ સાથે વિલંબ વિના એને પોતાના જીવનનું સર્વાધિક મહત્ત્વપૂર્ણ અંગ બનાવી લેવું જોઈએ. જૈન ધર્મની ઉદાર દૃષ્ટિ ધર્મના મર્મને ન સમજવાને કારણે ધર્મના નામ પર સમાજમાં અનેક બૂરાઈઓ અને કુરીતિઓ ફેલાયેલી છે અને ધર્મના સંબંધમાં લોકોનો વિચાર સંકુચિત અને પક્ષપાતપૂર્ણ બની ગયો છે. પરંતુ જૈન ધર્મમાં કેટલાંક એવાં તત્ત્વો છે જેમને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy