________________
જૈન ધર્મનું સ્વરૂપ જૈન ધર્મનાં વિશેષ લક્ષણ ધર્મનાં વિશેષ લક્ષણોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. જૈનાચાર્યોએ અહિંસાને ધર્મનું અત્યંત મહત્વપૂર્ણ લક્ષણ માન્યું છે. કહેવાઈ ચૂક્યું છે કે દયા જ ધર્મનું મૂળ છે. સ્પષ્ટ છે કે જીવોની હિંસા કરવી દયાની બરાબર વિરોધી છે. એટલા માટે અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવે છે અને એને ધર્મનો સાર માનવામાં આવે છે. જૈન ધર્મમાં અહિંસાને ખૂબ જ વ્યાપક અર્થમાં લેવામાં આવે છે અને એ માનવામાં આવે છે કે એનું પાલન કર્યા વિના ધર્મના કોઈ પણ નિયમનું ઠીક-ઠીક પાલન થઈ શકતું નથી. આપણે આ પુસ્તકના એક અલગ અધ્યાયમાં વિસ્તારથી અહિંસાના પાસાઓ પર વિચાર કરીશું.
જૈન ધર્મમાં અહિંસાની પ્રમુખતા સ્થાપિત કરતાં રાજવાર્તિકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
અહિંસાદિ લક્ષણો ધર્મઃ | અર્થાત્ ધર્મ અહિંસા આદિ લક્ષણવાળો છે.
કવ્યસંગ્રહ ટીકા માં પણ એની પુષ્ટિ કરવામાં આવી છે. અહિંસાના વ્યાપક અર્થને બતાવતાં સવર્ણસિદ્ધિમાં કહેવામાં આવ્યું છેઃ જિનેન્દ્રદેવે જે આ અહિંસા લક્ષણવાળો ધર્મ કહ્યો છે – સત્ય એનો આધાર છે, વિનય તેનું મૂળ છે, ક્ષમા તેનું બળ છે, બ્રહ્મચર્યથી તે રક્ષિત છે, ઉપશમ (શાંતિ) તેની પ્રધાનતા છે, નિયતિ તેનું લક્ષણ છે અને નિષ્પરિગ્રહતા ( અનાવશ્યક વસ્તુઓનો સંચય ન કરવો) તેનું અવલંબન છે.20
એનાથી એ સંકેત મળે છે કે અહિંસામાં ધર્મના અનેક પ્રમુખ નિયમ આપોઆપ સમાયેલા છે.
જીવોની રક્ષા કરવી અહિંસાનું સ્વભાવિક અંગ છે. એટલા માટે કાતિયાનુપ્રેક્ષામાં ક્ટવામાં આવ્યું છે:
જીવાણું રકપણે ધમ્મો