SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 46 જૈન ધર્મ સાર સંદેશ અર્થાત્ જીવોની રક્ષા કરવાને ધર્મ કહે છે. આ જ વાત દર્શનપાહુડ ટીકામાં પણ કહેવામાં આવી છે. આ સંબંધમાં ગણેશપ્રસાદજી વર્ણીએ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું છેઃ જીવોની રક્ષા કરવી જ ધર્મ છે. જ્યાં જીવઘાતમાં ધર્મ માનવામાં આવે ત્યાં જેટલી પણ બાહ્ય ક્રિયા છે, બધી નિષ્ફળ છે. ધર્મ તે પદાર્થ છે જેના દ્વારા આ પ્રાણી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જયાં પ્રાણીઘાતને ધર્મ બતાવવામાં આવે તેમનામાં દયાનો અભાવ છે; જયાં દયાનો અભાવ છે ત્યાં ધર્મનો અંશ નથી, જ્યાં ધર્મ નથી ત્યાં સંસારથી મુક્તિ નથી.23 જૈન ધર્મ અનુસાર ધર્મના પાલન માટે વિનય (નમ્રતા) અને નિર્લેપતાને અપનાવવું પણ આવશ્યક છે, કારણ કે એમનો સંબંધ માન(અહંકાર) અને મમત્વ (મારાપણું)ના ત્યાગથી છે. જ્યાં સુધી જીવ અહંકાર અને મમત્વનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી તે સાચા અર્થમાં ધર્માત્મા બની શકતો નથી. વિનયની વ્યાખ્યા કરતાં અને તેની આવશ્યકતા પર ભાર મૂકતાં ગણેશપ્રસાદજી વર્મી કહે છેઃ વિનયનો અર્થ નમ્રતા અથવા કોમળતા છે. કોમળતામાં અનેક ગુણ વૃદ્ધિ પામે છે. જો કઠોર જમીનમાં બી નાંખવામાં આવે તો વ્યર્થ થઈ જાય છે. પાણીના વરસાદમાં જે જમીન કોમળ થઈ જાય છે તેમાં જ બી જામે છે. .. જેણે પોતાના હૃદયમાં વિનય ધારણ કર્યો નથી તે ધર્મનો અધિકારી કેવી રીતે થઈ શકે છે? ... આપ કોઈને હાથ જોડીને કે મસ્તક ઝુકાવીને તેનો ઉપકાર કરતા નથી બલકે પોતાના હૃદયમાંથી માનરૂપી શત્રુને હટાવીને પોતાની જાતનો ઉપકાર કરો છો. લોભનો સંબંધ મમત્વ સાથે છે. રાજવાર્તિકમાં લોભનો અર્થ આ પ્રકારે બતાવવામાં આવ્યો છેઃ ધન આદિની તીવ્ર આકાંક્ષા (ઈચ્છા) જ લોભ છે.25 ધવલા પુસ્તક માંએને એથી વધારે સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છેઃ બાધાર્યેષુ મમ્મદ બુદ્ધિાઁભ 24
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy