SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ સાર સંદેશ અનુસાર જે આત્માને તેના દોષો અને વિકારોથી બચાવીને પવિત્ર બનાવી રાખે, તેને તેના અનંત ચેતન અને અનંત આનંદમય સ્વરૂપમાં ધારણ કરી રહે, તેને તેના મૂળ ગુણ દયાથી સદા ઓત-પ્રોત રાખે તથા તેને દુર્ગતિ અને દુઃખથી બચાવે, તેને જ ધર્મ કહે છે. બીજા શબ્દોમાં, જે આત્માને સદાને માટે સુખશાંતિ પ્રદાન કરે તે જ ધર્મ છે. સાંસારિક દુઃખોથી છુટકારો મેળવીને નિત્ય કે અવિનાશી સુખ-શાંતિ પ્રાપ્ત કરવાને જ મોક્ષ પ્રાપ્ત કરવો કહે છે. એટલા માટે જૈન-પરંપરા અનુસાર, ધર્મને મોક્ષનું સાધન અથવા કારણ માનવામાં આવે છે. જે પ્રમાણે ગુરુત્વાકર્ષણની શક્તિના સહારે આકાશમંડળના અસંખ્ય ગ્રહ અને તારા પોત-પોતાના સ્થાન પર રહીને પોત-પોતાની ગતિથી પોતપોતાના રાહ પર ચાલતા રહે છે અને આપસમાં ટકરાતા નથી, તે જ પ્રમાણે ધર્મનો સહારો લઈને જ બધા જીવ પોત-પોતાના સ્વરૂપને કાયમ રાખીને સદા સુખ-શાંતિ અનુભવી શકે છે અને બધાની સાથે સુખ-શાંતિપૂર્વક રહી શકે છે. જે પ્રમાણે ગુરુત્વાકર્ષણની શક્તિના અભાવે ગ્રહો અને તારાઓની સ્થિતિ બગડી શકે છે અને તેઓ નષ્ટ-ભ્રષ્ટ થઈ શકે છે, તે પ્રમાણે ધર્મને ઠીકરૂપે ગ્રહણ ન કરવાને કારણે જીવો પણ દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત કરે છે. એટલા માટે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજવું અને તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. 42 જૈન ધર્મના મર્મજ્ઞ આચાર્યોએ ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે અને એના અનેક લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ મૂળ વાત તરફ આપણું ધ્યાન દોર્યુ છે કે ધર્મનો સંબંધ બાહ્ય વસ્તુઓ સાથે નહીં, બલકે પોતાના આત્મા સાથે છે. આત્મા જ્યારે રાગ, દ્વેષ અને મોહથી પ્રભાવિત થાય છે અથવા જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ નામના વિકારો, જેમને જૈન ધર્મમાં કષાય કહેવામાં આવે છે, એને દૂષિત કરે છે તો એની શુદ્ધતા ભંગ થઈ જાય છે. એ મલિન અને અપવિત્ર બની જાય છે. આવી અવસ્થામાં કરવામાં આવેલાં એનાં કર્મો જ બંધનમાં નાંખીને એને દુઃખી બનાવી રાખે છે. એટલા માટે ધર્મનું એ મૂળ પ્રયોજન છે કે (1) એ આત્માને પવિત્ર કરે; (2) એને સંસારના દુઃખોથી છુટકારો અપાવીને એવી સ્થિતિમાં લાવી દે જ્યાં આત્મા સદા સુખી બની રહે; (3) આ લોકમાં અને આ લોકથી પર પણ સર્વત્ર અને સર્વ પ્રકારે આ આત્માને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy