________________
34
જૈન ધર્મ સાર સંદેશ રચિત તત્વાધિગમ સૂત્ર (જેને દિગંબર સંપ્રદાય સિવાય શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે), ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર ગુણધર રચિત કસાયપાહુડ, ધરસેન રચિત ખંડગમ, યતિવૃષભ રચિત તિલોયાગ્રત્તી નેમિચંદ્ર રચિત કાવ્યસંગ્રહ અને મલ્લિસેન રચિત સ્યાદવાદમજરીનાં નામ વિશેષરૂપે ઉલ્લેખનીય છેઃ
પછીથી જૈન ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોને સરળતાથી સામાન્ય જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી હિંદી તથા બીજી અનેક ભારતીય ભાષાઓમાં પણ ઘણા બધા મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચવામાં આવ્યા છે.
જૈન સાહિત્યમાં ધર્મ અને દર્શન સિવાય તર્કશાસ્ત્ર, જીવન ચરિત્ર, નૈતિક કથા, નાટક, વ્યાકરણ વગેરે વિષયો પર પણ અનેક ગ્રંથ ગદ્ય અને પદ્ય – બન્નેમાં જોવા મળે છે. આ પ્રમાણે જૈન સાહિત્યમાં અધ્યયન અને ચિંતન માટે પર્યાપ્ત સામગ્રી ભરેલી પડી છે.