________________
આત્માથી પરમાત્મા
341 અર્થાત્ બહિરાત્મપણાને છોડવા યોગ્ય (હેય, ત્યાજય)સમજીને તેને છોડીને અંતરાત્મા થઈ જવું જોઈએ અને સદા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, જેના દ્વારા નિત્ય (અવિનાશી) આનંદની પ્રાપ્તિ થાય છે.
અહીં એ સમસ્યા ઉભી થાય છે કે જે પરમાત્માને આપણે ક્યારેય પણ જોયા નથી, જે ઈન્દ્રિય, બુદ્ધિ અને વચનથી પર છે, તેમનું ધ્યાન આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાન કરવા માટે સાધને શરૂ શરૂમાં કોઈને કોઈ મૂર્તિમાન અથવા સાકાર સ્વરૂપનો આધાર લેવો આવશ્યક હોય છે.
અહીં આ સમસ્યાના સમાધાન માટે આપણે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા પરમાત્માના બે ભેદો પર ધ્યાન આપવું જોઈએ. જૈન ધર્મ અનુસાર પરમાત્માના બે ભેદ આ પ્રમાણે છેઃ () સકળ (શરીર સહિત) અથવા સાકાર અને (2) નિષ્કળ (શરીર રહિત) અથવા નિરાકાર. સ્વયં જીવન મુક્ત થઈને જે મહાત્મા અન્ય સંસારી મનુષ્યોને પોતાના ઉપદેશ દ્વારા કલ્યાણનો માર્ગ દેખાડે છે તેમને સકળ અથવા સાકાર પરમાત્મા કહેવામાં આવે છે અને જે શરીરથી મુક્ત થઈને અવિનાશી પરમધામના સ્વામી બની ચૂકયા છે, તેમને નિષ્કળ અથવા નિરાકાર પરમાત્મા છે છે. આ બન્નેમાં તત્ત્વતઃ કોઈ ભેદ નથી. બન્ને જ એક સમાન સર્વજ્ઞ અને સર્વદ્રષ્ટા હોય છે. એટલા માટે સાધક પોતાના ઉપદેશદાતા પરમેષ્ઠી અથવા સાચા જીવનમુક્ત મહાત્માનું ધ્યાન કરતાં કરતાં આ ધ્યાનના સહારે નિરાકાર પરમાત્માના ધ્યાનમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે જૈન ધર્મમાં ઉક્ત સમસ્યાનું આસાનીથી સમાધાન થઈ જાય છે.
સકળ (સાકાર) અને નિષ્કળ (નિરાકાર) નામના પરમાત્માના બન્ને ભેદોને બતાવતાં જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ જિનાગમ (જૈન ધર્મગ્રંથો)માં પરમાત્માના બે ભેદ કહેવામાં આવ્યા છે – એક સફળ પરમાત્મા અને બીજા નિકળી પરમાત્મા.
સ-શરીર હોવા છતાં પણ જે જીવનમુક્ત છે અને કેવલ્ય અવસ્થાને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ-સર્વદર્શી બની ગયા છે, એવા અરહન્ત પરમેષ્ઠીને સકળ પરમાત્મા કહે છે. તથા જેમણે સર્વ-કર્મ બંધનોથી છુટીને અવિનાશી પરમધામ પ્રાપ્ત કરી લીધું છે, એવા અનંત ગુણોના