________________
જૈન ધર્મ સાર સંદેશ સૂત્રમાં જોવા મળે છે. એટલા માટે અત્યારે જે મૂળ ગ્રંથ પ્રાપ્ત છે તેને નિમ્નલિખિત છ વર્ગોમાં મૂકી શકાય છેઃ
1) અંગ સાહિત્ય - જૈન આગમમાં એનું સર્વોચ્ચ સ્થાન છે. એનાં બાર અંગ
છે જેમનો સંક્ષિપ્ત પરિચય નીચે આપવામાં આવ્યો છેઃ 1. આચારાંગ સૂત્ર:- આ સૌથી પ્રાચીન અંગ છે. એમાં જેન ભિક્ષુઓ
દ્વારા પાલન કરવામાં આવનારા આચાર નિયમોનો ઉલ્લેખ મળે છે. એમાં મહાવીરના તે ઉપદેશોનું સંકલન થયું છે જે તેમણે પોતાના શિષ્ય સુધર્મને આપ્યા હતા અને જેને સુધર્મએ પોતાના શિષ્ય જંબુને
સંભળાવ્યા હતા. 2. સૂત્રકૃતાંગ - આ અંગનો મુખ્ય વિષય છે તે યુવાન સાધકો માટે ચિંતા જે
નવા-નવા જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા. વિરોધી મતો દ્વારા આપવામાં આવનારા પ્રલોભનોથી નવદીક્ષિત સાધુઓને સાવધાન કરવામાં આવ્યા
છે. 34. સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર:- એમનામાં જૈન દર્શનનો ભંડાર
છે અને જૈનાચાર્યોનાં ઐતિહાસિક ચરિત્ર પણ છે. 5. ભગવતી સૂત્ર:- એમાં મહાવીરના જીવન તથા કત્યો અને અન્ય સમકાલીન વ્યક્તિઓ સાથે એમના સંબંધનું વર્ણન મળે છે. સારા અને ખરાબ કર્મો દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્ગ અને નરકનું પણ વર્ણન એમાં પ્રાપ્ત થાય છે. 6. જ્ઞાતૃધર્મ કથા - એમાં મહાવીરની શિક્ષાઓનું વર્ણન કથા, ઉખાણાઓ
વગેરેના માધ્યમથી કરવામાં આવ્યું છે. 7. ઉપાસકદા સૂત્રઃ- એમાં જેન ઉપાસકોના આચાર, નિયમો વગેરેનો સંગ્રહ
છે. તપસ્યાના બળ પર સ્વર્ગ પ્રાપ્ત કરનારા વેપારીઓનો પણ એમાં ઉલ્લેખ મળે છે. 8/9. અર્જુદા અને અનુત્તરોયાસિક દશ :- આ બન્નેમાં તે ભિક્ષુઓનું
વર્ણન છે જેમણે તપ દ્વારા શરીરનો અંત કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. 10. પ્રશ્ન વ્યાકરણ - જૈન ધર્મ સાથે સંબંધિત પાંચ મહાવ્રતો તથા અન્ય
નિયમોનું વર્ણન થયું છે. 11. વિપાક સૂત્ર - આ અંગમાં પાપ અને પુણ્ય કર્મો વિશે ઘણી બધી કથાઓ છે.