SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 327 આત્માથી પરમાત્મા અતંરાત્માના પ્રકાશ અથવા આંતરિક જ્યોતિનાં દર્શન થાય છે. એનો ઉલ્લેખ જેનધમશ્રિતમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે. આ જડ પાર્થિવ દેહમાં આત્મ-બુદ્ધિનું હોવું જ સંસારના દુઃખનું મૂળ કારણ છે. તેથી આ મિથ્યા બુદ્ધિને છોડીને અને બાહ્ય વિષયોમાં દોડતી ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં પ્રવેશ કરેઅર્થાત્ જ્ઞાન-દર્શનાત્મક અંતજર્યોતિમાં આત્મ-બુદ્ધિ કરે, તેને પોતાનો આત્મા માને. જે આ ઈન્દ્રિયોનું વિષયાત્મક રૂપ છે, તે મારા આત્મસ્વરૂપથી વિલક્ષણ છે – ભિન્ન છે. મારું રૂપ તો આનંદથી ભરેલું અંતજર્યોતિમય છે. અતઃ આ શરીરને, ઈન્દ્રિયોને અને તેમના વિષયોને આત્મસ્વરૂપથી સર્વથા ભિન્ન જાણે. શરીરાદિને આત્મા સમજવાને કારણે જીવ જે અજ્ઞાનના ઘોર અંધકારમાં પડી આ સંસારમાં ભટકી રહ્યો છે તે અંધકારનો વિનાશ કેવળ આ આંતરિક જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. આ જ્ઞાનનો પ્રકાશ ત્રીજા નેત્રના ખૂલતાં જ પ્રાપ્ત થાય છે. જેના કૃિતમાં એને આ ઉપમાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છેઃ જે મિથ્યાજ્ઞાનરૂપ ઉત્કટ (ઘોર) અંધકાર ચંદ્રને અગમ્ય છે (અર્થાત્ જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પહોંચી નથી શકતો) અને સૂર્યથી પણ દુર્ભેધક છે, (અર્થાત્ જ્યાં સૂર્યનાં કિરણો પણ પ્રવેશ કરી શકતાં નથી) તે સમ્યજ્ઞાનથી જ નષ્ટ કરવામાં આવે છે. આ સંસારરૂપી ઉગ્ર (કઠિન) મરુસ્થળમાં દુઃખરૂપી અગ્નિથી સંતપ્ત (ખૂબ તપેલા) જીવોને આ સત્યાર્થ જ્ઞાન (આત્મરૂપી સત્ય પદાર્થનું જ્ઞાન) જ અમૃતરૂપી જળથી તૃપ્ત કરવા માટે સમર્થ છે, અર્થાત્ સંસારના દુઃખોને મિટાવનાર સમ્યજ્ઞાન જ છે. જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો સાતિશય(પૂર્ણ પ્રકાશની સાથે) ઉદય થતો નથી, ત્યાં સુધી આ સમસ્ત જગત અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત રહે છે, પરંતુ જ્ઞાનના પ્રગટ થતાં જ અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy