________________
અંતર્મુખી સાધના
શક્તિ યોગીઓને પણ અગોચર છે, કારણ કે એનાથી અનંત પદાર્થોને જોવા જાણવાની શક્તિ પ્રગટ થાય છે.
ધ્યાની જે સમયે વિશુદ્ધ ધ્યાનના બળથી કર્મરૂપી ઈંધણોને ભસ્મ કરી દે છે તે સમયે આ આત્મા જ સ્વયં સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે, એ નિશ્ચય છે.
આ આત્માના ગુણોનો સમસ્ત સમૂહ ધ્યાનથી જ પ્રગટ થાય છે તથા ધ્યાનથી જ અનાદિ કાળની સંચિત કરવામાં આવેલી કર્મસન્તતિ (કર્મોની પરંપરા) નષ્ટ થાય છે. આત્માની શક્તિઓ બધી સ્વાભાવિક છે. તેથી અનાદિકાળથી કર્મોના દ્વારા ઢંકાયેલી છે. ધ્યાનાદિક કરવાથી પ્રગટ થાય છે. બધી નવી ઉત્પન્ન થયેલી દેખાય છે. તેથી જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થતાં પ્રગટ થાય છે.
આ આત્મા ત્રણ જગતનો ભર્તા(સ્વામી) છે, સમસ્ત પદાર્થોનો જ્ઞાતા છે, અનંત શક્તિવાળો છે, પરંતુ અનાદિકાળથી પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને (પડીને) પોતાની જાતને જાણતો નથી. આ આત્માદર્શન જ્ઞાન નેત્રવાળો છે, પરંતુ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત થઈ રહ્યો છે. આ કારણે જાણતો હોવા છતાં પણ જાણતો નથી અને જોતો હોવા છતાં પણ કંઈ જોતો નથી.
સમભાવ ધ્યાનથી નિશ્ચલ ટકે છે. જે પુરુષનું ધ્યાન નિશ્ચલ છે તેનો સમભાવ પણ નિશ્ચલ છે. ધ્યાનનો આધાર સમભાવ છે અને સમભાવનો આધાર ધ્યાન છે.
સમીચીન (ઉચિત) પ્રશસ્ત ધ્યાનથી માત્ર સામ્ય જ સ્થિર નથી થતું, પરંતુ કર્મના સમૂહથી મલિન આ યંત્રવાહક (કર્મોના કારણે યંત્રની જેમ ચાલનાર) જીવ પણ શુદ્ધ થાય છે, અર્થાત્ ધ્યાનથી કર્મોનો ક્ષય પણ થાય છે.
જ
જે સમયે સંયમી સાક્ષાત્ સમભાવને અવલંબન કરે છે તે જ સમયે તેના કર્મસમૂહનો ઘાત કરનારું ધ્યાન થાય છે. ભાવાર્થ – સમતા ભાવ વિના ધ્યાન કર્મોનો ક્ષય કરવાનું કારણ બનતું નથી. અનાદિ કાળના વિભ્રમથી ઉત્પન્ન થયેલા રાગાદિક અંધકાર
317