SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખી સાધના 31 અન્ય ધર્માત્માઓનું અપમાન કરે છે તે વાસ્તવમાં પોતાના જ ધર્મનું અપમાન કરે છે.93 આ પ્રમાણે સાચો અને પ્રશંસનીય ધ્યાતા તે જ છે જે રાગ-દ્વેષ અને મોહથી ઉપર ઉઠીને તથા સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ અપનાવીને દઢ સંકલ્પ અને પૂર્ણ નિષ્ઠાની સાથે અડગ થઈને ધ્યાનની સાધનામાં લાગેલો રહે છે. ધ્યાન કે કોઈ પણ પારમાર્થિક સાધનામાં જાતિ, કુળ અને વેશભૂષાનું કોઈ મહત્વ નથી. ધ્યાનનું આસન, સ્થાન, સમય અને ફળ ધ્યાન માટે મનને એકાગ્ર અને સ્થિર બની રહેવું આવશ્યક છે. મન શરીર દ્વારા પ્રભાવિત થાય છે. એટલા માટે ધ્યાન માટે તે જ આસન ઉપયુક્ત થઈ શકે છે જે શરીર માટે કષ્ટકારક ન હોય. સાથે જ શરીરને સીધું, સજાગ અને સ્થિર બનાવી રાખવું પણ આવશ્યક છે. એટલા માટે ધ્યાન માટે ન સૂઈ જવું ઠીક છે અને ન લગાતાર ઊભા રહેવું પણ ઠીક છે. બસ શાંતિપૂર્વક પલાંઠી લગાવીને સરળ ભાવથી (વિશેષ તણાઈને નહીં) શરીરને સીધું રાખીને સુખપૂર્વક આસન લગાવીને ધ્યાનમાં બેસી જવું જોઈએ. જ્ઞાનાર્ગવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ જે જે આસનથી સુખરૂપ ઉપવિષ્ટ (બેઠેલા) મુનિ પોતાના મનને નિશ્ચલ કરી શકે તે જ સુંદર આસન મુનિઓએ સ્વીકારવું જોઈએ.94 પતંજલિના યોગસૂત્રમાં પણ આસનની પરિભાષા આપતાં કહેવામાં આવ્યું છેઃ સ્થિર સુખમાસનમ્ 5 અર્થાત્ સ્થિર થઈને સુખપૂર્વક બેસવું જ આસન છે. ધ્યાનની સિદ્ધિ માટે હલ્યા-ડોલ્યા વિના અને કષ્ટ વિના દઢતાથી પોતાના આસનમાં બેસી રહેવું આવશ્યક છે. એવું કરવામાં સફળ થવું જ આસનને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy