SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખી સાધના ચૈતન્યમાત્ર અને ધ્યાન તથા ધ્યાતાના ભેદરહિત એવું અતિશય સ્કુરાયમાન (પ્રતીત) હોય છે. આ મુનિ જે સમયે પૂર્વોકત પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરે છે તે સમયે પરમાત્મામાં પૃથક્ભાવ અર્થાત્ અલગપણાનું ઉલ્લંઘન કરીને સાક્ષાત્ એકતાને એવી રીતે પ્રાપ્ત થઈ જાય છે કે, જેનાથી પૃથક્ષણાનું બિલકુલ ભાન હોતું નથી. - ભાવાર્થ – તે સમયે ધ્યાતા અને ધ્યેયમાં દ્વૈતભાવ રહેતો નથી. હે મુને, આ પ્રમાણે જેના સમસ્ત વિકલ્પ દૂર થઈ ગયા છે, જેના રાગાદિક બધા દોષ ક્ષીણ થઈ ચૂક્યા છે, જે જાણવા યોગ્ય સમસ્ત પદાર્થોના જાણકાર છે, જેણે સંસારના સમસ્ત પ્રપંચ છોડી દીધા છે, જે શિવ અર્થાત્ કલ્યાણ સ્વરૂપ અથવા મોક્ષ સ્વરૂપ છે, જે અજ અર્થાત્ જેને આગળ જન્મ-મરણ કરવાનું નથી, જે અનવદ્ય અર્થાત્ પાપોથી રહિત છે, તથા જે સમસ્ત લોકનો એક અદ્વિતીય નાથ છે એવા પરમપુરુષ પરમાત્માને ભાવોની શુદ્ધતાપૂર્વક અતિશય કરીને ભજ. ભાવાર્થ - શુદ્ધ ભાવોથી આવા પરમ પુરુષ પરમાત્માનું ધ્યાન કર. સિદ્ધ નિરંજન કર્મ વિના, મૂર્તિરહિત અનન્ત, જો ધ્યાવે પરમાત્મા, તે પામે શિવ સંત.79 303 અર્થાત્ જે સંતરૂપ સજ્જન ધ્યાતા પરિપૂર્ણ, કર્મરહિત, અમૂર્ત, અનંત (અંતરહિત) અને નિરંજન (માયારહિત) પરમાત્માનું ધ્યાન કરે છે તે કલ્યાણમય મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ધ્યાનનો ક્રમિક વિકાસ થાય છે. હું કહી ચૂક્યો છું કે જ્યાં સુધી ધ્યાનીની અંદર દ્વૈતભાવ બનેલો રહે છે કે ધ્યાન, ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું ફળ આદિના વિકલ્પો ઉઠતા રહે છે ત્યાં સુધી તે ધ્યાનને સવિકલ્પ ધ્યાન કહે છે. જ્યારે બધા વિકલ્પ મટી જાય છે અને ધ્યાતા ધ્યેય માં સ્થિરતાપૂર્વક લીન થઈ જાય છે ત્યારે તે ધ્યાનને નિર્વિકલ્પ ધ્યાન કરે છે. ધ્યેયની દૃષ્ટિએ આ નિર્વિકલ્પ ધ્યાનને જ રૂપાતીત ધ્યાન અર્થાત્ રૂપ-રંગાદિ રહિત પરમાત્માનું ધ્યાન કહેવામાં આવે છે અને ધ્યાનના સ્વરૂપની દૃષ્ટિથી એને જ શુક્લધ્યાન (જે વિશુદ્ધ હોય છે)
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy