SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ 301 અંતર્મુખી સાધના આ પ્રમાણે અરહંત ભગવાન કે સાચા સંત સદ્ગક્ના જ્યોતિર્મય સ્વરૂપનું વર્ણન કરી તથા તેમના ધ્યાન દ્વારા ધ્યાનીના તેમની સાથે એકાકાર થવાનું ફળ બતાવીને શુભચંદ્રાચાર્ય પોતાના અંતિમ નિષ્કર્ષના રૂપમાં પછી કહે છેઃ હે મુને, તું વીતરાગ દેવનું જ ધ્યાન કર. કેવા છે વીતરાગ ભગવાનું? ત્રણેય લોકોના જીવોના આનંદનું કારણ છે, સંસારરૂપ સમુદ્રને પાર થવા માટે જહાજ તુલ્ય છે તથા પવિત્ર અર્થાત્ બધા મેલથી રહિત છે તથા લોક અલોકને પ્રકાશિત કરવા માટે દીપકના સમાન છે અને પ્રકાશમાન તથા નિર્મળ એવા છે કે કરોડ શરદના ચંદ્રમાની પ્રભાથી પણ અધિક પ્રભાના ધારક છે. તેઓ જગતના અદ્વિતીય નાથ છે, શિવસ્વરૂપ (કલ્યાણરૂપ) છે, અજન્મા અને પાપરહિત છે. એવા વીતરાગ ભગવાનનું તું ધ્યાન કર. સર્વવિભવજુત જાન, જે ધ્યાડૅ અરહંત ક્રૂ I મન વસિ કરિ સતિ માન, તે પાર્વે તિસ ભાવÉ 78 અર્થાત્ જે પોતાના મનને વશમાં કરીને અરહંત ભગવાનને બધા ઐશ્વર્યોથી યુક્ત અને સાચા માનીને તેમનું ધ્યાન કરે છે, તે તેમની જ અવસ્થા (ભાવ)ને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જીવિત પરમ ચેતન અર્થ કે સંત સદ્ગુરુ, જે સ્વયં મુક્ત થઈને મુક્તિની યુક્તિ બતાવે છે, કે ધ્યાનથી ધ્યાની તેમના જ સમાન મુક્ત બની જાય છે. રૂપસ્થ ધ્યાનમાં પોતાને પૂરી રીતે દઢ કરી લીધા બાદ ધ્યાતા (ધ્યાન કરનારા) પોતાને રૂપ-રંગ આદિ ચિહ્નોથી રહિત અમૂર્ત પરમાત્માના ધ્યાનમાં લગાવે છે. એને જ રૂપાતીત ધ્યાન કહે છે. આ ધ્યાનના ફળસ્વરૂપે ધ્યાતા ધીરે-ધીરે પરમાત્માના ગુણોને ગ્રહણ કરતાં કરતાં એ અનુભવ કરવા લાગે છે કે હું પરમાત્મા છું, “અહં બ્રહમાસ્મિ'. પરંતુ આ ધ્યાનમાં આત્મા અને પરમાત્માનો ભેદ અથવા દ્વૈતભાવ બનેલો રહે છે જ્યાં સુધી આ ભેદ બનેલો રહે છે ત્યાં સુધી આ ધ્યાનને સવિકલ્પ ધ્યાન કહે છે જ્યારે આત્મા અને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy