SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 300 જૈન ધર્મઃ સાર સંદેશ કરનારા અને સંસારરૂપી અગ્નિને હોલવવા માટે મેઘ સમાન છો. આપે દિવ્યરૂપ ધારણ કર્યુ છે, આપ ધીર અર્થાત્ ક્ષોભ (આકુળતા) રહિત અને નિર્મળ જ્ઞાનરૂપી નેત્રવાળા છો. આપનો વિભવ (એશ્વર્ય) દેવ અને યોગીશ્વરોની કલ્પનાથી પર છે. જેણે પૃથ્વીતલને પવિત્ર ર્યું છે અને ત્રણેય જગતનું અવતરણ કર્યું છે અને મોક્ષ માર્ગનું નિરૂપણ કરનારો છે, અનંત છે અને જેનું શાસન પવિત્ર છે, તથા જેણે પોતાના ભામંડલથી (પ્રકાશ મંડળથી) સૂર્યને આચ્છાદિત કર્યો છે, કોટિ ચંદ્રમા સમાન પ્રભાના ધારક છે, જે જીવોના શરણભૂત છે, સર્વત્ર જેના જ્ઞાનની ગતિ છે, જે શાંત છે, દિવ્યવાણીમાં પ્રવીણ છે, તથા ઇંદ્રિયોરૂપી સર્પો માટે ગરુડ સમાન છે, સમસ્ત અભ્યુદયનું મંદિર છે, તથા દુઃખરૂપ સમુદ્રમાં પડતા જીવોને હસ્તાવલંબન આપનારા છે અને જે દિવ્ય પુષ્પવૃષ્ટિ, આનક અર્થાત્ દુંદુભિ વાજાઓ તથ અશોકવૃક્ષો સહિત વિરાજમાન છે, તથા રાગરહિત (વીતરાગ) છે, પ્રાતિહાર્ય મહાલક્ષ્મીથી ચિહ્નિત છે, અને પરમ ઐશ્વર્ય (પરમેશ્વર ) છે.7 આ પ્રમાણે અરહંત ભગવાનના જ્યોતિર્મયસ્વરૂપ તથા તેમના અપાર મહિમા અને પ્રભુતાને બતાવીને શુભચંદ્રાચાર્ય તેમના ધ્યાનનું ફળ બતાવતાં કહે છેઃ ઉપરોકત સર્વજ્ઞ દેવનું ધ્યાન કરનારો જે ધ્યાની અન્ય શરણથી રહિત હોય, પોતાના મનને સાક્ષાત્ તેમાં જ સંલીન કરે છે, તે તન્મયતાને પામીને, તે જ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. યોગી (ધ્યાની મુનિ કે સાધક) તે સર્વજ્ઞ દેવ પરમ જ્યોતિને આલંબન કરીને તેના ગુણગ્રામોમાં (ગુણ સમૂહોમાં) રંજાયમાન થતો મનમાં વિક્ષેપ રહિત (આવેગરહિત) થઈને, તે જ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તે પરમાત્મામાં મન લગાવે ત્યારે તેના જ ગુણોમાં લીન ચિત્ત થઈને તેમાં જ ચિત્તનો પ્રવેશ કરીને તે જ ભાવથી ભાવિત યોગી મુનિ તેની જ તન્મયતાને પ્રાપ્ત થાય છે. જ્યારે અભ્યાસના વશથી તે મુનિને તે સર્વજ્ઞના સ્વરીતે તન્મયતા ઉત્પન્ન થાય છે તે સમયે તે મુનિ પોતાની અસર્વજ્ઞ આત્માને સર્વજ્ઞ સ્વરૂપ જુએ છે.”
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy