SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 297 અંતર્મુખી સાધના અર્થ - હે ભવ્યાત્મ! ચોવીસો ભગવાનના બતાવેલા) નામનું ભજન કર. જેમણે ભજન ક્યું તેમણે સંસાર-સમુદ્રથી પાર ઊતરીને શિવસુખ (મોક્ષસુખ) પ્રદાન કરનારા સ્થાનને પ્રાપ્ત ક્યું બુધજન! શ્રદ્ધાપૂર્વક એમનો જપ કરો. એ નામ બધાની કામનાઓને પૂર્ણ કરનારાં છે.” રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ઉપરોક્ત પિંડસ્થ ધ્યાન અને પદસ્થ ધ્યાનના વિવેચનથી એ સ્પષ્ટ છે કે પિંડસ્થ ધ્યાનમાં અરહંત (અતિ) ભગવાન કે સંત સદ્ગુરુના દેહ સ્વરૂપનું અને પદસ્થ ધ્યાનમાં તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રનું ધ્યાન કરવામાં આવે છે. આ બને ધ્યાનોના ફળસ્વરૂપે અંતરમાં અનહદ કે અનાહત નાદ સંભળાવા લાગે છે અને અર્વત્ ભગવાન કે સંત સદ્ગુરુના જ્યોતિર્મય દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. રૂપસ્થ ધ્યાનમાં અત્ ભગવાન્ કે સંત સદ્ગુરુના આ જ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ – આ ત્રણેય ધ્યાનોમાં અત્ ભગવાન કે સંત સદ્ગરનું જ કોઈને કોઈ રૂપમાં ધ્યાન કરવામાં આવે છે. એટલા માટે વ્યસંગ્રહ ટીકામાં કહેવામાં આવ્યું છેઃ પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ આ ત્રણેય ધ્યાનોના ધ્યેયભૂત શ્રી અત્ સર્વજ્ઞ છે.72 એ બતાવતાં કે રૂપસ્થ ધ્યાનમાં અત્ ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, તત્ત્વભાવનામાં તેમના દિવ્ય સ્વરૂપ તથા દિવ્યલોકમાં થનારી તેમની અલૌકિક સભા (સમવસરણ)ના મનોહર દશ્યનું વર્ણન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ અરહંત ભગવાનના સ્વરૂપમાં તન્મય થઈને તેમનું ધ્યાન કરવું એ રૂપસ્થ ધ્યાન છે. જેમનું પરમોદારિક (દિવ્ય) શરીર કોટિ સૂર્યની જ્યોતિને મંદ કરનારું છે, જેમાં માંસ આદિ સાત ધાતુઓ નથી. પરમ શુદ્ધ રત્નવત્ ચમકી રહ્યું છે, પ્રભુ પરમ શાંત, સ્વરૂપ મગ્ન વિરાજમાન છે, જેમના સર્વ શરીરમાં વીતરાગતા ઝલકી રહી છે.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy