SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 296 જેન ધર્મ સાર સંદેશ અર્થાત્ આ પ્રણવ (ઈશ્વરનો) વાચક (બોધ કરાવનારો), અર્થાત્ તે અવ્યક્ત કે અપ્રગટ ઇશ્વરને પ્રગટ કરનારો છે. એનો જપ અને એના અર્થનું ચિંતન કે ધ્યાન કરવું જોઈએ. મનની દુવિધાને દૂર કરવા અને પરમાર્થનો ભેદ પામવા માટે સ્મરણ અને ધ્યાનને આવશ્યક બતાવીને તેના આનંદમાં મગ્ન થવાની અને પોતાના જીવનને સફળ બનાવવાની પ્રેરણા નીચે આપવામાં આવેલા પદોમાં ખૂબ જ સુંદર ઢંગથી આપવામાં આવી છેઃ દુવિધા ક્યારે જશે આ મનની, ક્યારે નિજનાથ નિરંજન સમરું તજી સેવા જન-જનની. ક્યારે રુચિથી પીએ દઢ ચાતક, બુંદ અક્ષયવદ વાદળની, ક્યારે શુભ ધ્યાન કરું સમતા ગ્રહિ, કરું ન મમતા તનની. ક્યારે ઘટ અંતર રહે નિરંતર, દઢતા સુગુરુ-વચનની, ક્યારે સુખ લઉં ભેદ પરમાર્થ, મટે ધારણા ધનની. અર્થ – ખબર નથી, અમારા મનની આ દુવિધા ક્યારે દુર થશે? તે અવસર ક્યારે આવશે, જ્યારે હું પામર મનુષ્યોની ગુલામીથી છુટકારો પામીને પોતાના નિર્વિકાર આત્મા-રામની અલખ જગાવીશ. ખબર નથી ક્યારે અમારા નેત્ર-ચાતક ઘનીભૂત અક્ષય પદના સરસ બિંદુઓનું સચિની સાથે પાન કરશે? હું સમતા ભાવને ધારણ કરીને શરીર આદિના મોહને છોડીને આત્મ-સંબંધી શુભ ધ્યાનને ક્યારે ધારણ કરીશ? મારા મનમાં – મારા આત્મામાં સદ્ગુરુઓની વાણીનો સંચાર ક્યારે થશે? હું તે વાણી પર ક્યારે દઢ રહીશ? હું સાંસારિક વ્યવહારુ ધનની ધારણા (ધન-સંગ્રહની પ્રવૃતિ)ને ભુલાવીને ભેદ-વિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થનારા પરમાર્થ (સાચુંધન) ના સુખને ક્યારે પ્રાપ્ત ક્રીશ? ભજ ચતુર્વિશતિ નામાં જે ભજે તે ઊતરી ભવદધિ લે શિવસુખ-ધામ. રાખી નિશ્ચય જપો “બુધજન પૂરા સૌના કામ.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy