SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 295 અંતર્મુખી સાધના આ અનાહત તત્ત્વ અથવા શિવનામા (કલ્યાણકારી કહેવામાં આવતા) તત્ત્વને અવલંબન કરી મનીષીગણ (જ્ઞાનીજન) અનંત કલેશવાળા સંસારરૂપી વનથી પાર થઈ ગયા. હે મુને! તું પ્રણવ નામા અક્ષરનું સ્મરણ કર અર્થાત્ ધ્યાન કર, કારણ કે આ પ્રણવ નામા અક્ષર દુઃખરૂપી અગ્નિની જ્વાળાને શાંત કરવા માટે મેઘના સમાન છે. આ પ્રણવથી અતિનિર્મળ શબ્દરૂપ જ્યોતિ અર્થાત્ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને પરમેષ્ઠીનો વાચ્ય વાચક સંબંધ પણ આ જ પ્રણવથી થાય છે, અર્થાત્ પરમેષ્ઠી તો આ પ્રણવના વાચ્ય અને એ પરમેષ્ઠીના વાચક છે.67 વીણા આદિ વાદ્ય-યંત્રોના તાર દ્વારા ઉત્પન્ન થનારા અતિ મધુર અને સુરીલા સ્વર જેવા આ અનાહત નાદને સાંભળવાનો ઉપદેશ આપતાં જાનાર્ણવમાં ફરીથી કહેવામાં આવ્યું છે. ધીર પુરુષ! આ ધ્યાનનું તંત્ર (તારવાળા વાઘ-યંત્રો જેવા ધ્વનિને) સાંભળવાથી, એ ચિત્તને પવિત્ર કરે છે. તીવ્રરાગાદિકનો અભાવ કરીને ચિત્તને વિશુદ્ધ કરે છે તથા આચારણ કરાયેલા અભ્યાસ કરી લેતાં) મોક્ષ આપે છે. આ યોગીશ્વરો દ્વારા જાણવામાં આવેલો છે, આ કારણે એને તું આસ્વાદ, ધાર (ધારણ કરી અને સાંભળ અને ધ્યાનનું આચરણ કર.68 પતંજલિએ પણ પોતાના યોગસૂત્રમાં પ્રણવને ઈશ્વરનો વાચક (બોધક) કહ્યો છે, અર્થાત્ તેમનાં અનુસાર પણ પ્રણવ, ઈશ્વરનો વાચક છે જે પોતાના વાચ્ય ઈશ્વરનો બોધ કરાવે છે અથવા એમ કહો કે પ્રણવ (અનાહત નાદ અથવા દિવ્ય ધ્વનિ) ના અભ્યાસ દ્વારા ઈશ્વરને જાણવામાં આવે છે યોગસૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ તસ્ય વાચકઃ પ્રણવ ા તજ્જપસ્તદર્થભાવન9
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy