________________
291
અંતર્મુખી સાધના
(બધા આવરણો કે પડદાઓથી રહિત) થઈ પૂર્ણ રીતે ચમકી ઉઠે છે. આ જ પ્રમાણે જ્ઞાનને ઢાંકનારા પાંચ પડદા છે. 60
આ પડદાઓને હટાવવામાં ગુરુમંત્રનો અભ્યાસ અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. મંત્ર અનેક હોઈ શકે છે. પરંતુ જેવું કે થાણસાર (જ્ઞાનસાર)માં કહેવામાં આવ્યું છે, શિષ્યએ “ગુરુ ઉપદેશિત ધ્યાન કરવું જોઈએ.'t
જે મંત્ર ગુરુના મુખથી ઉચ્ચારિત થાય છે, અર્થાત્ જે મંત્રને ગુરુ પોતાના મુખથી બોલીને શિષ્યને પ્રદાન કરે છે, તેમાં ગુરુની અપાર શક્તિ સમાયેલી હોય છે. તે ગુરુના સ્વરૂપના સમાન જ પ્રભાવશાળી હોય છે અને ગુરુના સ્વરૂપને પ્રગટ કરે છે. એટલા માટે શિષ્ય શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ગુરુના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ.
ગુરુમંત્રના સ્મરણ અને ધ્યાનનો અપાર મહિમા અને અદ્ભુત ફળનો ઉલ્લેખ કરતાં જ્ઞાનાવમાં ફરીથી કહેવામાં આવ્યું છેઃ
પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવા રૂપ છે લક્ષણ. જેનું એ મહામંત્રને ચિંતવન કરીએ, કારણ કે આ નમસ્કારાત્મક મંત્ર જગતના જીવોને પવિત્ર કરવામાં સમર્થ છેઃ
જે જીવો પાપોથી મલિન છે તેઓ આ જ મંત્રથી વિશુદ્ધ થાય છે અને આ જ મંત્રના પ્રભાવથી મનીષિગણ (બુદ્ધિમાન કે વિવેકીજન) સંસારના કલેશોથી છુટે છે.
ભવ્ય જીવોને આપદા (વિપત્તિ)ના સમયે આ જ મંત્ર આ જગતમાં બાંધવ (મિત્ર) છે. એના અતિરિક્ત અન્ય કોઈ પણ, જીવો પર કૃપા કરવા માટે તત્પર નથી. ભાવાર્થ – બધાનો રક્ષક આ એક મહામંત્ર છે. 62 રત્નાકર શતકમાં પણ આ મંત્રનો પ્રભાવ અને ફળ બતાવતાં કહેવામાં
આવ્યું છેઃ
આ મંત્રના ધ્યાનથી સમસ્ત પાપ દૂર થઈ જાય છે, આત્મા પવિત્ર થઈ જાય છે અને મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. આ નમોકાર મંત્રમાં આવી જ વિચિત્ર શક્તિ છે, સંસારનું મોટામાં મોટું