SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 288 જૈન ધર્મઃ સાર સંદેશ આ ચારેય ભેદોને ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ પિણ્ડસ્થં ચ પદસ્થં ચ રૂપસ્થ રૂપવર્જિતમ્। ચતુર્દા ધ્યાનમાપ્રાતં ભવ્યરાજીવભાસ્કરેઃ ।। અર્થ – જે ભવ્ય (મોક્ષાર્થી)રૂપી કમળો(ચરણ)ને પ્રફુલ્લિત કરવા માટે સૂર્યના સમાન યોગીશ્વર છે તેમણે ધ્યાનને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આમ ચાર પ્રકારના કહ્યા છે.3 આ ચારેય ભેદોમાંથી પિંડસ્થ અને પદસ્થ નામના પ્રથમ બે ભેદો પર પહેલાં વિચાર કરીએ. ‘પિંડ’નો અર્થ છે શરીર અથવા દેહ. એટલા માટે આ પ્રસંગે પિંડસ્થ ધ્યાનનો અર્થ અર્હત્ કે સંત સદ્ગુરુના દેહ સ્વરૂપ (ગુરુ-મૂર્તિ)નું ધ્યાન કરવું છે. ‘પદ’ શબ્દથી અહીં મંત્રનો બોધ થાય છે. એટલા માટે પદસ્થ ધ્યાનનો અર્થ છે ગુરુ દ્વારા આપવામાં આવેલા મંત્રનું સ્મરણ અને ધ્યાન કરવું. એને સ્પષ્ટ કરતાં જૈને સિદ્ધાંતકોશમાં કહેવામાં આવ્યું છેઃ ઉપરોકત ચાર ભેદોમાં પિંડસ્થ ધ્યાન તો અર્હત ભગવાન (કે ગુરુદેવ)ની શરીરાકૃતિનો વિચાર કરે છે અને પદસ્થ ધ્યાન એ પંચપરમેષ્ઠી ના વાચક (બોધ કરાવનારા) અક્ષરો અને મંત્રોનો અનેક પ્રકારે વિચાર કરવો છે.54 જ્ઞાનાસારમાં પણ કહેવામાં આવ્યું છેઃ અરહંત (અર્હત્ કે સદ્ગુરુ)ની મૂર્તિ (સ્વરૂપ)નું ચિંતવન કરવું તે પિંડસ્થ ધ્યાન છે.ઽ અને પંચપરમેમહીના નમસ્કારાત્મક (નમોકાર) મંત્ર કે જે પંચપરમેષ્ઠીના વાચક છે તેમનું ધ્યાન કરવું પદસ્થ ધ્યાન છે અને ઉપદેશિત ધ્યાન કરવું. 56 ગુરુ જ્ઞાનાર્ણવ માં પણ પદસ્થ ધ્યાનને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ જેને યોગીશ્વર પવિત્ર મંત્રોના અક્ષર સ્વરૂપ પદોનું અવલંબન કરીને ચિંતવન કરે છે તેને યોગીશ્વરોએ પદસ્થ ધ્યાન કહ્યું છે. 57
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy