SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 જૈન ધર્મ સાર સંદેશ શબ્દનો પ્રયોગ મળી આવે છે. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે ઋગ્યેદ ના નિમ્નલિખિત મંત્રમાં અને રુદ્ર રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યા છેઃ અહમ્ વિભર્ષિ સાયકાનિ ધન્વાર્યનિષ્ઠ યજતં વિશ્વરૂપ અનિદં દયસે વિશ્વમળ્યું ન વા ઓજીયો દ્ધ ત્વદાિા ? ભાવાર્થ: હે અહ! તમે વસ્તુ સ્વરૂપ ધર્મરૂપી બાણોને, ઉપદેશરૂપી ધનુષને તથા આત્મ ચતુષ્ટયરૂપ આભૂષણોને, ધારણ કરેલા છે. તે અહઆપ સંસારના સઘળા પ્રાણીઓ પર દયા કરો છો. હે કામાદિકને દહન કરનારા! આપ સમાન કોઈ રુદ્ર નથી. આ રીતે કેટલાક પ્રમાણોને આધારે કેટલાક લોકો ઋષભદેવ, શિવ અને રુદ્રને એકરૂપ માને છે. આ રીતે એવું કહી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણમાં જેન અને હિંદુ ધર્મ પોત-પોતાના પૂર્વ રૂપમાં મોજૂદ હતા. પરંતુ તે સમય સુધી તેમને અલગ-અલગ જૈન અને હિંદુ ધર્મનું નામ અપાયું ન હતું. બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જૈન ધર્મના પ્રચલિત થયા બાદ ઈ.સ.પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં થઈ. એટલા માટે બૌદ્ધ ગ્રંથોમાં ઋષભદેવ સિવાય પદ્મપ્રભુ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત, વિમલનાથ, ધર્મનાથ, નેમિનાથ વગેરે અન્ય જૈન તીર્થકરોના નામોનો પણ ઉલ્લેખ મળે છે. આ રીતે અત્યાર સુધીની જાણકારીના આધારે આપણે ફકત એટલું જ કહી શકીએ છીએ કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનો સમય વૈદિક સભ્યતાનો પ્રારંભ થતાં પહેલાં રહ્યો હશે, પરંતુ તેમના સમયને નિશ્ચિતરૂપે નિર્ધારિત કરી શકવું સંભવ લાગતું નથી. બીજા તીર્થકર અજીતનાથથી લઈને એકવીસમા તીર્થંકર નમિનાથ સુધીના સંબંધમાં કોઈ વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલા માટે અહીં હવે માત્ર બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમા તીર્થંકર વિશે સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવે છે. જૈન પરંપરાના બાવીસમા તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિ ગીતાની શિક્ષા આપનારા દ્વારકા નરેશ કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. કૃષ્ણ રાજા વસુદેવ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy