________________
25
જૈન ધર્મની પ્રાચીનતા
25 એનાથી પણ પહેલાં ઋગ્યેદ માં ઋષભદેવનો ઉલ્લેખ એક મહાપુરુષ રૂપે મળે છે. ઋગ્યેદ વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે જેની રચના અધિકાંશ વિદ્વાનો અનુસાર લગભગ ઈ.સ.પૂર્વે 3000 માનવામાં આવે છે. એના દ્વારા
ખ્યાલ આવે છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ઋષભદેવને એક મહાપુરુષના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યા હતા.
19 મી સદીના ઉત્તરાર્ધમાં સિંધુ ખીણમાં કરવામાં આવેલા ખોદકામથી ખબર પડે છે કે વૈદિક સભ્યતાથી પહેલાં ત્યાં એક પ્રાચીન વિકસિત ભારતીય સભ્યતા હયાત હતી. આ ખોદકામથી પ્રાપ્ત અનેક પ્રકારની વસ્તુઓમાં કેટલીક એવી ચીજો પણ સામે આવી છે કે જે આ સિંધુ ખીણની સભ્યતા સાથે જૈન ધર્મનો સંબંધ સૂચિત કરે છે. ઉદાહરણ રૂપે, ત્યાંથી પ્રાપ્ત થયેલી કેટલીક સીલ મહોરો પર નગ્ન પુરુષની આકૃતિઓ બનેલી છે જે જેને મહાત્માઓની યાદ અપાવે છે.
આ મહોરો પર જે શબ્દો અંકિત છે તે પ્રાકૃત ભાષામાં છે. એનાથી એવું અનુમાન કરી શકાય કે સિંધુ ખીણના લોકોની ભાષા પ્રાકૃત રહી હશે. આ વાત ધ્યાન આપવા જેવી છે કે જેનોના પ્રાચીન ગ્રંથ પ્રાકૃતમાં છે જયારે હિંદુઓના વેદ વગેરે પ્રાચીન ગ્રંથ સંસ્કૃતમાં છે. ભાષા વિજ્ઞાનીઓ અનુસાર પ્રાકૃત સામાન્ય લોકોની સ્વાભાવિક (અકૃત્રિમ) બોલી હતી જ્યારે સંસ્કૃત એક સંસ્કારી ભાષા માનવામાં આવે છે. એનાથી નિષ્કર્ષ નીકળે છે કે સિંધુ ખીણની સભ્યતા વૈદિક સભ્યતાથી પ્રાચીન છે, સિંધુ ખીણના નિવાસીઓની બોલચાલની ભાષા સંભવતઃ પ્રાકૃત હતી અને તે જ ભાષામાં ત્યાં જૈન ધર્મનો પ્રચાર હતો. એવું માની લેવાથી ઋગ્વદ દ્વારા જેનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનો ઉલ્લેખ કરવાનું અસંગત લાગતું નથી.
સિંધુ ખીણના ખોદકામમાંથી કેટલીક એવી પણ મૂર્તિઓ મળી છે કે હિંદુ દેવતા શિવની પ્રતિમા માનવામાં આવે છે. એનાથી ખ્યાલ આવે છે કે સિંધુ ખીણના રહેવાસીઓમાં જૈન તીર્થકર ઋષભદેવ અને હિંદુ દેવતા શિવની પૂજા આર્યોની વૈદિક સભ્યતાના પ્રારંભ થવાના પહેલાંથી પ્રચલિત હતી.
આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ તીર્થકર માટે અહંત, અહંન્ કે અન્ત શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે શિવ માટે દ્ધ