SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 221 દિવ્ય ધ્વનિ આપણને પોતાની જ્ઞાનમય દિવ્યધ્વનિનો અનુભવ પ્રદાન કરે. અનંત જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ પ્રાપ્ત કરવાનો આવો જ પ્રાકૃતિક નિયમ છે. આ જ ભાવને વ્યક્ત કરતાં છાન્દોગ્યોપનિષદ માં સત્યકામ જાબાલ પોતાને શિષ્યરૂપમાં સ્વીકાર કરવાને માટે ગુરુ ગૌતમને વિનયપૂર્વક કહે છેઃ મેં આપ જેવા મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે કે કેવળ ગુથી જાણેલી વિદ્યા જ પરમપદની પ્રાપ્તિ કરાવી શકે છે. 16 મુણ્ડકોપનિષદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ જિજ્ઞાસુએ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને વિનયની સાથે વેદોના રહસ્યને જાણનારા અને પરમાત્મામાં સ્થિત કોઈ ગુસ્ના શરણમાં જ જવું જોઈએ.17 આ સંબંધમાં એ શંકા ઉઠાવવામાં આવે છે કે આપણે તો કોઈ તીર્થકર કે ગુના વચનો અથવા વર્ણાત્મક શબ્દો દ્વારા આપવામાં આવેલા ઉપદેશોને જ પોતાના મન દ્વારા સમજીએ છીએ. તો પછી મન અને વચનથી પરની અવસ્થાને પ્રાપ્ત કરેલા તીર્થકરો અથવા સદ્ગની નિરક્ષરી વાણી કે દિવ્યધ્વનિથી કોઈ ગણધર અથવા શિષ્ય કોઈ પ્રકારનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? એનું સમાધાન કરતાં ધવલા પુસ્તક માં કહેવામાં આવ્યું છે કે આવી શંકા ઉચિત નથી, કારણ કે અનુભવ અથવા સાચું જ્ઞાન આત્માનો ગુણ છે, મનનો નહીં. એટલા માટે એક નિર્મળ આત્માનું જ્ઞાન બીજો નિર્મળ આત્મા કોઈ પ્રકારનું વચન બોલ્યા વિના પણ ગ્રહણ કરી શકે છે. વાસ્તવમાં સાચા જ્ઞાન કે અલોકિક આધ્યાત્મિક અનુભવને કોઈ પણ વર્ણાત્મક શબ્દ કે વચન દ્વારા વ્યક્ત કરી જ શકાતું નથી. આ પ્રમાણે તીર્થકર અથવા સાચા ગુરુ માટે પોતાની નિરક્ષરી દિવ્યવાણી દ્વારા કોઈ ગણધર અથવા સુયોગ્ય શિષ્યને અલૌકિક દિવ્યધ્વનિ સંભળાવવો અને તેને ગૂઢ અનુભવ પ્રદાન કરવો કોઈ અસંગત વાત નથી. સાચું પૂછો તો નિરક્ષરી ભાષા જ સહજ અથવા સ્વાભાવિક ભાષા છે અને મનુષ્ય જ્યાં સુધી બોલતાં શીખતો નથી ત્યાં સુધી નિરક્ષરી ભાષા જ તેની
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy