________________
07જી
દિવ્ય ધ્વનિ
તીર્થકરો કે કેવલજ્ઞાનીઓથી પ્રગટ થનારી અલોકિક વાણીને દિવ્યધ્વનિ કહે છે. આ દિવ્યધ્વનિ અથવા અલૌકિક નાદ જ જૈનધર્મનું મૂળ સ્ત્રોત છે. જેને પરંપરા અનુસાર એના જ આધારે ગણધરો અને આચાર્યોએ જૈન ધર્મના મૂળગ્રંથોની રચના કરી.
દિવ્યધ્વનિનું સ્વરૂપ કહેવાય છે કે જ્યારે વર્ધમાન મહાવીરને પોતાની સાધનામાં સફળતા પ્રાપ્ત થઈ ગઈ અને તેમના બધા આંતરિક વિકાર પૂર્ણતઃ નષ્ટ થઈ ગયા, ત્યારે તેમનો નિર્મળ આત્મા અનંત જ્ઞાન અર્થાત્ સર્વજ્ઞતા અથવા કેવલજ્ઞાનના પ્રકાશથી ઝગમગી ઊઠ્યો. તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને અનંત જ્ઞાન ભંડારના સ્વામી બની ગયા. તેમના સર્વાગથી એક વિચિત્ર ગર્જના રૂપ ઓમકારધ્વનિ ગુંજી ઉઠી. આ વિચિત્ર અથવા અલૌકિક ધ્વનિને જ દિવ્ય ધ્વનિ કહે છે. એના આધારે તેમના પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરે જૈનધર્મના મૂળ દ્વાદશાંગ ગ્રંથોની રચના કરી અને પછી પાછળથી અન્ય આચાર્યો દ્વારા એમના પર આધારિત અન્ય ગ્રંથ બનાવવામાં આવ્યા.
પ્રસિદ્ધ જૈન વિદ્વાન દેવેન્દ્ર કુમાર શાસ્ત્રી નીમચ તીર્થકરોની આ દિવ્યધ્વનિને “શબ્દ બ્રહ્મ'ની સંજ્ઞા આપી છે. પોતાની સાધના દ્વારા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જગતને પાર કરવાથી જ આત્મા શૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરના બંધનોથી મુક્ત થઈને પોતાના નિર્મળ સ્વરૂપને ધારણ કરે છે. ત્યારે એ સમસ્ત જ્ઞાનના ભંડારને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાની બને છે.
સાધારણ રીતે જ્યારે આપણે કોઈ પણ ભાષામાં કોઈ વર્ણાત્મક શબ્દ અથવા વચન બોલીએ કે તેને સાંભળીએ છીએ તો તે મોં દ્વારા બોલવામાં આવે છે અને કાનો
216