________________
215
પવિત્ર મનથી જિનેન્દ્ર દેવ (જિતેન્દ્રિય ગુરુદેવ)ના કહેલા શાસ્ત્રોનું પઠન પાઠન કર અને કૃપાના સાગર નિર્ઝન્થાબંધન મુક્ત) ગુને માન સદાય યથાર્થ દેવ, શાસ્ત્ર ગુસ્ની આરાધના કરી જેનાથી મનુષ્ય-જન્મ પ્રાપ્ત થઈને તને શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થાય.84
નિષ્કર્ષ રૂપમાં જૈન ધર્મનો આ જ ઉપદેશ છે કે પોતાનું કલ્યાણ ચાહનારા મનુષ્ય સુગુરુ, અર્થાત્ સાચા ગુરુની સેવા-ભક્તિ દ્વારા સંસારસાગરને પાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંસારમાં ભટકાવનારા કુગુરુની સેવાથી દૂર રહેવું જોઈએ. સુગુરુ અને કુગુરુ સંબંધી આ જ મૂળ ઉપદેશને મૂળશંકર દેસાઈ આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
સુગુરુની જે સેવા કરે, થાય ભવ પાર, કુગુરુની સેવા કરે, વધે સંસાર અપાર. અનાદિકાળથી પોતાના આત્માએ કુગુસ્ની સેવા કરવામાં અનંતકાળ પસાર કર્યો તો પણ કલ્યાણ થયું નહીં, જે જીવ પોતાનું કલ્યાણ કરવા ચાહે છે તેમણે પ્રથમ સુગુરૂને ઓળખીને તેમનાં ચરણોમાં ભક્તિ કરવી જોઈએ.85