SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 214 જૈન ધર્મ સાર સંદેશ પોતાનું હિત ચાહનારા મુમુક્ષુ જીવને દુનિયાની સ્પૃહા હોતી નથી, દુનિયા શું બોલશે – એ જોવા માટે તેઓ રોકાતા નથી; દુનિયાથી ડરીને અસત્ દેવ-ગુરુ-ધર્મનું સેવન તેઓ ક્યારેય કરતાં નથી; પ્રાણ ચાલ્યા જાય તો પણ સાચા દેવ-ગુરુ-ધર્મથી વિપરીત કોઈને તેઓ માનતા નથી. તેમને પોતાના અંતરમાં વીતરાગતા જ ઈષ્ટ છે.82 એટલા માટે જૈન ધર્મમાં જ્યાં એક તરફ આપણા મનુષ્ય-જીવનને સવારનારા અને સફળ બનાવનારા સાચા ગુની સેવા અને ભક્તિ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, ત્યાં બીજી બાજુ આપણા મનુષ્ય-જીવનને કુમાર્ગમાં લગાવનાર અને તેને નિષ્ફળ બનાવનારા કુગુરુથી સદા બચીને રહેવા માટે ચેતવવામાં આવ્યા છે. કુગુરુ અથવા ખોટા ગુને નમસ્કાર કરવું પણ હિતકર નથી. રત્નકર૭ શ્રાવકાચાર માં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છેઃ સમ્યગ્દષ્ટિથી સંપન્ન જીવ, ભય, આશા, સ્નેહ અથવા લોભથી પણ ક્યારેય ખોટા દેવ, ખોટા શાસ્ત્ર અથવા ખોટા ગુને નમન ન કરે. ક્યારેય તેમનો વિનય પણ કરે નહીં.83 કુંથુસાગરજી મહારાજ પણ રાગ-દ્વેષથી યુક્ત કુગુઓને ત્યાગવા અને રાગ-દ્વેષ-રહિત, બંધન મુક્ત કૃપાસાગર સદ્ગને ધારણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા તથા પોતાના મનુષ્ય-જીવનને સફળ બનાવવાનો ઉપદેશ આપે છે. જીવને ચેતવતાં તેઓ કહે છેઃ હે આત્મ! જો તે ગુરુ સમજીને રાગ-દ્વેષી કુગુઓની સ્તુતિ કરી હોય, તેમની પ્રશંસા કરી હોય, કોઈ લોભને કારણે તેમને નમસ્કાર કર્યા હોય અથવા કુનીત (દુરાચરણ) પ્રદર્શક કુશાસ્ત્રની સ્તુતિ કરી હોય, પ્રશંસા કરી હોય તથા કોઈ લોભથી તેમને નમસ્કાર કર્યા હોય તો તું પોતાના આત્માને શુદ્ધ કરવા માટે તે કાર્યોનો ત્યાગ કર તથા
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy