SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ સર્પને જોઈને કોઈ ભાગે, તેને તો લોકો કંઈ પણ કહેતા નથી, હાય હાય! જુઓ તો, જે કુગુરુ રૂપી! સર્પને ત્યજે છે. તેને મૂઢ લોકો દુષ્ટ કહે છે, બૂરુ બોલે છે. અહો, સર્પ દ્વારા તો એકવાર મરણ થાય છે અને કુગુરુ અનંત મરણ આપે છે – અનંત વાર જન્મ-મરણ કરાવે છે. એટલા માટે હે ભદ્ર! સર્પનું ગ્રહણ તો ભલું અને કુગુનું સેવન ભલું નથી. 81 સાચા ગુરુ પોતાના શિષ્યોને મોક્ષપદની પ્રાપ્તિ કરાવનારા ધર્મનો અભ્યાસ કરાવે છે અને કુમાર્ગમાં લઈ જનારા અધર્મથી દૂર રાખે છે. પરંતુ મોક્ષમાર્ગથી વિમુખ કરાવનારા કુગુરુ પોતાના શિષ્યોને કુમાર્ગમાં નાંખીને અનેક જન્મો સુધી દુઃખી બનાવી રાખે છે. એટલા માટે મોક્ષાર્થીએ લોક-લાજ અને કુળ-પરંપરાની પરવા ન કરીને નિર્ભયતાથી અધર્મની તરફ લઈ જનારા કોઈ પણ પ્રકારના ફુગુને ત્યાગી દેવો જોઈએ અને તે સાચા ગુરુને ધારણ કરવા જોઈએ જે દિવ્યધ્વનિ દ્વારા મોક્ષમાર્ગને દેખાડે છે. આને સ્પષ્ટ કરતાં કાનજી સ્વામી કહે છેઃ તે કુગુરુ છે; મિથ્યાત્વને કારણે તેઓ સ્વયં તો પથ્થરની નાવની જેમ સંસાર સમુદ્રમાં ડૂબે છે; અને અન્ય જે જીવ વિતરાગી ગુરુઓનું સ્વરૂપ ન ઓળખીને એવા કુગુરુઓને સાચા સમજીને તેમનું સેવન કરે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. પ્રશ્નઃ- કોઈ કુગુરુ મળી જાય તો શું કરવું? ઉત્તરઃ- તો એવું જાણવું કે આ સાચા ગુરુ નથી; તે સ્વયં પણ મિથ્યાભાવથી દુઃખી છે અને તેનું સેવન કરનારો જીવ પણ મિથ્યાભાવની પુષ્ટિથી દુઃખી છે, - એવું સમજીને આપણે તેનું સેવન છોડવું. એમાં કોઈનું અપમાન કરવાની કે દ્વેષ કરવાની વાત નથી, પરંતુ પોતાના આત્માને મિથ્યાત્વાદિ દોષોથી બચાવવાની વાત છે. 213 ધરમમાં શરમ હોતી નથી, અર્થાત્ શરમથી અથવા લોક્લાજથી પણ કુગુરુઓનું સેવન ધર્મી જીવ કરતા નથી.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy