________________
ગુરુ
211
આચાર્ય કુંથુસાગરજી મહારાજ પણ આપણને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવે છે કે અનેકાનેક યોનિઓમાં ભટકાવનારા કુગુથી આપણે બચવું જોઈએ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા સદ્ગુરુ (સાચા ગુરુ)ની સેવામાં લાગવું જોઈએ તેઓ કહે છેઃ
હે આત્મન્ કુગુઓની સેવા કરવાથી જ તે આજ સુધી સદાકાળ અત્યંત કલેશ અને ભ્રાંતિ ઉત્પન્ન કરનારા નિગોદ (અત્યંત અવિકસિત સૂક્ષ્મતમ યોનિ)માં પરિભ્રમણ કર્યું છે, મહાદુઃખ દેનારા પ્રતિક્ષણ પ્રાણોનું હરણ કરનારા અત્યંત નિંદનીય નરકમાં પરિભ્રમણ કર્યું છે અને અત્યંત નિકૃષ્ટ યોનિ કહેવડાવનારી તિર્યંન્ચગતિમાં પરિભ્રમણ કર્યુ છે. હે શિષ્ય! આ પ્રમાણે તે વીતરાગ નિર્ઝન્થ (બંધન મુક્ત) ગુસ્ની સેવા ન કરવાથી અને કુગુરૂની સેવા કરવાથી અનંત કાળ સુધી સંસાર રૂપી મહાસાગરમાં પરિભ્રમણ કર્યું. એટલા માટે હવે તું કુગુઓની સેવા કરવાનો સર્વથા ત્યાગ કરી દે. કૃપાના સાગર સમસ્ત જીવો પર દયા ધારણ કરનારા વીતરાગ નિર્ગુન્થ ગુઓની સેવા કરવાથી મોક્ષરૂપી સ્વરાજ્ય (પોતાનું અર્થાત્ આત્માનું રાજ્ય) તારે આધીન થઈ જશે. કુગુરુ પથ્થરની નાવ સમાન હોય છે, પોતે પણ ડૂબે છે અને પોતાનાં સેવકને પણ લઈને ડૂબે છે. એટલા માટે એવા કુગુઓથી સદા બચીને રહેવું જોઈએ.
નિર્ઝન્થ ગુરુ સદા મોક્ષમાર્ગમાં લાગેલા રહે છે તથા શિષ્યોને પણ મોક્ષમાર્ગમાં લગાવે છે. એટલા માટે આવા શ્રેષ્ઠ ગુઓની સેવાથી આ જીવને શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.80
ગુરુ હોવાનો દંભ કરનારા અથવા વિશેષ પ્રકારના વેશ ધારણ કરનારા કુગુઓને ઓળખવા આસાન નથી. એટલા માટે કુગુઓની ઓળખ કરવા માટે પંડિત ટોડરમલ થોડા સંકેત આપતાં કહે છે.
જે જીવ વિષય-કષાયાદિ (વિષય-વિકારાદિ) અધર્મરૂપ તો પરિણમિત હોય (કર્મ કરે) છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા માને છે, ધર્માત્માને યોગ્ય નમસ્કરાદિ ક્રિયા કરાવે છે, અથવા કિંચિત્