________________
209
ગુરુ
ગણપતિ જ્ઞાન સમુદ્ર ન લધે, તમે ગુણ સિંધુ ગંભીર, યાદ નથી મેં વિપત્તિ સહી જે, ઘરી-ધરી અનંત શરીર. તમારા ગુણ ચિંતનથી નાશે ભય, જેમ વાદળ ચાલતાં સમીર. કોટિવારની અરજ આ જ છે, હું દુઃખ સહું અધીર. હરી વેદના ફંદ “દીલ”ની કાપો કર્મ જંજીર.
અર્થ - હે વીર! અમારી સંસાર-ચક્રની વ્યથાને દૂર કરો. હે દયા-અનુકંપાના સમુદ્ર! હે પરમ કારૂણિક! હું દુઃખોથી સંતપ્ત (તપેલો) છું અને દુઃખ-પરિહારાર્થ (દુઃખથી મુક્ત થવા માટે) આપના કૃપાસિંધુ તટ પર ઉપસ્થિત થયો છું. આપ પરમેશ્વર છો, મોક્ષપથના દર્શયિતા છો તથા મોહરૂપ પ્રચંડ દાવાનળને શમન કરવામાં નીર-સમાન છો. આપ હેતુ વિના વિશ્વનો ઉપકાર કરનારા છો, શુદ્ધ પરમાત્મા છો, ધીર છો. આપના અપાર જ્ઞાન-સમુદ્રને ગણપતિ પણ ઉલ્લંઘન કરી શકતા નથી (અર્થાત્ તેને પાર કરી શકતા નથી), આપ ગંભીર ગુણ-સિંધુ છો. મેં અનંત શરીર ધારણ કરતાં જે વિપત્તિઓને સહન કરી, તેમનું સ્મરણ નથી, અર્થાત્ તે એટલી અધિક અને વિપુલ છે કે
સ્મરણ રાખવું પણ દુષ્કર (કઠિન) છે. આપના ગુણોનું ચિંતન કરવાથી તે સમસ્ત ભયોનો તેવી જ રીતે નાશ થઈ જાય છે જેવી રીતે પવનનાં ચાલવાથી વાદળ વિખેરાઈ જાય છે. મારી આજ કોટિશઃ પ્રાર્થના છે કે હું અધીર દુઃખ ભોગવી રહ્યો છું. આપ આ “દોલતની કર્મ શૃંખલાઓનો નિકન્તન (નાશ) કરીને વેદના-જાળથી મુક્ત કરી દો.77
કુગુરુની સેવાથી હાનિ મનુષ્ય-જીવનમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તવમાં મોક્ષ પ્રાપ્તિ જ મનુષ્ય-જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્યની પ્રાપ્તિ ગુમ્ની કૃપા અને સહાયતાથી જ થાય છે. ગુરુ જ મોક્ષનો માર્ગ દેખાડે છે. એટલા માટે જો સાચો માર્ગ દેખાડનારા ગુની ખોજ કર્યા વિના આપણે કોઈ નકલી અથવા પાખંડી ગુના કહેવામાં આવીને ખોટા માર્ગમાં લાગી જઈએ તો આપણે પોતાના લક્ષ્યથી