SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 208 એવા જ્ઞાની સાધુ જગતના, દુઃખ સમુહને હરે છે.II2 રહે સદા સત્સંગ તેમનો જ, ધ્યાન તેમનું જ નિત્ય રહે, તેમના જેવી ચર્યામાં આ ચિત્ત સદા અનુરક્ત રહે. હુકમચંદ ભારિલ્લે પણ પોતાની ગુરુ-સ્તુતિમાં આવી જ ભક્તિ ભાવના પ્રગટ કરી છેઃ તે વાણીના અંતર્તમને, જે ગુરુઓએ પિછાણ્યું છે. તે ગુરુવર્યના ચરણોમાં,મસ્તક બસ આપણે ઝુકાવવાનું છે. ગુને મળવાની અને ગુરુને પોતાનાં હૃદયમાં વસાવવાની કેટલી પ્રબળ ઇચ્છા શિષ્યને હોવી જોઈએ તેની એક ઝલક ભૂધરદાસજીની આ ભાવભરી વિનંતીમાં જોઈ શકાય છેઃ જેમના અનુગ્રહ વિના કદી નહિ કપાય કર્મ જંજીર, તે સાધુ મારા ઉર વસો મમ હરે પાપ પીડ . જે કાચ કંચન સમ ગણે અરિ મિત્ર એક સ્વરૂપ . નિન્દા વડાઈ સાશ્રિખી વન ખંડ શહેર અનૂપ. સુખ દુઃખ જીવન મરણમાં નહીં ખુશી નહીં દિલગીર, સાધુ મેરા ઉર વસો મમ હરે પાપ પીડ. તે કર જોડી ભૂધર વિનવે ક્યારે મળે તે મુનિરાજ, આ આશ મનની ક્યારે ફળે મમ સરે સઘળાં કાજ, સંસાર વિષમ વિદેશમાં જે વિના કારણે વીર, જૈન ધર્મઃ સાર સંદેશ તે સાધુ મેરા ઉર વસો મમ હરે પાપ પીડ. 7 દોલતરામજી પણ પોતાની વિનંતીમાં શિષ્યની વિનમ્રતા અને તેના મનોભાવને ખૂબ જ માર્મિક ઢબે વ્યક્ત કરતાં કહે છેઃ અમારી વીર હરો ભવ પીડ, હું, દુઃખી તપિત દયામૃત-સાગર, દેખી આવ્યો તમારા તીર, તમે પરમેશ્વર મોક્ષમાર્ગદર્શક, મોહ દાવાનળ નીર. તમે વિના હેતુ જગત ઉપકારી, શુદ્ધ ચિદાનંદ ધીર
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy