________________
ગુરુ
અર્થ આ સંસારમાં મનુષ્ય-જન્મની પ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. જો કોઈ વિશેષ પુણ્યકર્મના ઉદયથી મનુષ્ય-જન્મની પ્રાપ્તિ થઈ જાય અને પછી તે જ મનુષ્ય-જન્મમાં પોતાના આત્મજ્ઞાનને દેનાર અત્યંત દુર્લભ અને કૃપાનાં સાગર શ્રેષ્ઠ નિગ્રંથ (બંધન મુક્ત) ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો પછી મનુષ્યે પોતાના હૃદયમાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહીં. ત્રણેય લોકોમાં જેટલા જીવ છે તે બધાને ક્ષમા કરી દેવા જોઈએ (અર્થાત્ તેમના પ્રતિ સદા અહિંસા અને ક્ષમાનો ભાવ રાખવો જોઈએ).72
ગુનામાં અનુપમ ઉપકારને ધ્યાનમાં રાખીને શિષ્યના હૃદયમાં ગુરુ પ્રતિ સૌથી અધિક શ્રદ્ધા અને ભક્તિનો ભાવ હોવો જોઈએ જૈન સિધ્ધાંત પ્રવેશ રત્નમાલા અનુસાર શિષ્યની દ્રષ્ટિએ ગુરુનો મહિમા ગોવિંદથી પણ વધારે છે, કારણ કે તેઓ જ કૃપા કરીને ગોવિંદ (પરમાત્મા)ને મળવાનો માર્ગ દેખાડીને ગોવિંદ સાથે મળાવે છે. એટલે જ તો આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ
જ
ગુરુ અને દેવ બન્ને ઊભા, કોને લાગું પાય,
બલિહારી શ્રી ગુરુદેવની, ભગવાન દીધો બતાવી.73
207
શિષ્યને પોતાના ગુરુ પ્રતિ ઊંડી ભક્તિ-ભાવના હોવી જોઈએ અને તેના ચિત્તમાં ગુરુના સત્સંગ અને ગુના ધ્યાનનો હંમેશાં ચાવ (પ્રેમ) હોવો જોઈએ. નીચે આપવામાં આવેલી પ્રાર્થનામાં ભક્ત પોતાના ગુના મહિમાનાં ગુણ-ગાન કરતાં તેમના પ્રત્યે આવી જ ભાવના વ્યકત કરે છેઃ
જેમણે રાગ દ્વેષ કામાદિક જીત્યા, સર્વ જગ જાણી લીધું, સૌ જીવોને મોક્ષ માર્ગનો, નિસ્પૃહ થઈ ઉપદેશ દીધો. બુદ્ધ, વીર, જિન, હરિ હરબ્રહ્મા, કે તેને સ્વાધીન કહો, ભક્તિ ભાવથી પ્રેરિત થઈ, આ ચિત્ત તેમાં જ થઈ લીન રહો.IIIII વિષયોની આશા નહીં જેમને, સામ્ય-ભાવ ધન રાખે છે. નિજ-પરની હિત-સાધનામાં, જે નિશ-દિન તત્પર રહે છે, સ્વાર્થ-ત્યાગની કઠિન તપસ્યા, વિના ખેદ જે કરે છે,