________________
206
જૈન ધર્મ સાર સંદેશ મટતું નથી, દુઃખ ટળતું નથી અને શાંતિ થતી નથી. ... શરીર તો જડ, અર્થાત્ ચેતનાથી રહિત મૃતક ફ્લેવર છે – શું તેની સજાવટથી આત્માની શોભા છે? – નહીં; ભાઈ! સમ્યક્તરૂપી મુકુટથી અને ચારિત્ર્યરૂપી હારથી પોતાના આત્માને અલંક્ત કરો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયથી આત્માની શોભા છે. ચેતન ભગવાનની શોભા જડ શરીર દ્વારા થતી નથી; તેથી દેહ દ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો – આવો ઉપદેશ છે.
.... આત્માનું સાચું સ્વરૂપ સમજો અને પોતાની મિથ્યાત્વરૂપ ભૂલને દૂર કરો, – એવી શ્રી ગુસ્ની શિક્ષા છે.10
શિષ્યએ ગુસ્નાં વચનોને પોતાના હૃદયમાં વસાવી લેવાં જોઈએ અને તેમનાં બતાવેલાં સાધનો દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના શરીરના સુખ-આરામ માટે નાહક સમય ગુમાવવો ઉચિત નથી. આ જ ભાવનાને પ્રગટ કરતાં આચાર્ય પરમનંદિ કહે છેઃ
ભવતુ ભવતુ યાદૃફ તાદૃગેતપુર્મો હદિ ગુસ્વચન ચેદસ્તિ તત્તત્ત્વદશિll ત્વરિતમસમસારાનંદકંદાયમાના ભવતિ યદનુભાવાદક્ષયા મોક્ષલક્ષ્મીઃા ભાવાર્થ - જો કે આ શરીર આવું અપવિત્ર ક્ષણિક છે તો એવું જ રહે, પરંતુ જો પરમ ગુનું વચન જે તત્ત્વને દેખાડનારું છે મારા મનમાં રહે તો તેના પ્રભાવથી અર્થાત્ તે ઉપદેશ પર ચાલવાથી મને આ જ શરીર દ્વારા અનુપમ અને અવિનાશી આનંદથી ભરપૂર મોક્ષલક્ષ્મી શીધ્ર જ પ્રાપ્ત થઈ જાય.1
શ્રાવક પ્રતિક્રમણસારમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ ગુને પ્રાપ્ત કરીને પ્રમાદરહિત થઈને (લાપરવાહીને ત્યાગીને) પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં દઢતાથી લાગી રહેવું જોઈએઃ
નૃજન્મલાભે સ્વવિવેકદ્ર વા, સુદુર્લભ શ્રેષ્ઠગુરું ચ લધ્વા. કદાપિ ચિત્તે કુરુ મા પ્રમાદ, ક્ષમસ્વ લોકસ્થિત સર્વજીવાત્T