SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 204 જૈન ધર્મ સાર સંદેશ વિનીત સાધક પ્રેરણા વિના જ પ્રેરિત થાય છે, તે બાજુ આજ્ઞા થઈ અને અહીં કામ પૂરું થયું એવી તત્પરતાની સાથે તે સદેવ પોતાના કર્તવ્યો કરતો રહે છે. શિક્ષા સંબંધી ઉપરોક્ત નિયમોને જાણીને જે બુદ્ધિમાન શિષ્ય વિનય ધારણ કરે છે તેનો યશ લોકમાં ફેલાય છે. અને જેમ આ પૃથ્વી પ્રાણી માત્રનો આધાર છે તેવી જ રીતે તે વિનયી શિષ્ય આચાર્યો (ગુઓ)નો આધારભૂત થઈને રહે છે. 8 શિષ્ય સદા ગુસ્ની આજ્ઞામાં રહેતા અને પોતાની પૂરી જવાબદારી નિભાવતાં ગુસ્ના ઉપદેશનું પાલન કરવું જોઈએ. ગુજ્ઞી બતાવેલી સાધનામાં દઢતાપૂર્વક લાગવું, સાંસારિક પદાર્થોમાં હું-મારુંની ભાવના (આપાભાવ)ને નષ્ટ કરવી અને પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવા માટે ભરપૂર પ્રયત્ન કરવો શિષ્યનું અત્યંત આવશ્યક કર્તવ્ય છે. એના માટે ગુરુદેવ વારંવાર ઉપદેશ આપે છે, ચેતવે છે અને પ્રેરિત કરે છે. પરંતુ આ કાર્ય તો શિષ્ય સ્વયં જ કરવાનું છે, એના બદલામાં કોઈ બીજું તો કરી શકતું નથી. પર (આત્માથી ભિન્ન પદાર્થો)માં આપાભાવ માનીને જીવે સ્વયં જ પોતાને દુઃખમાં નાખી રાખ્યો છે. એટલા માટે તેણે સ્વયં જ આ જૂઠા આપાભાવને નષ્ટ કરવો પડશે અને આત્માનુભવ પ્રાપ્ત કરીને પોતાનાં દુઃખોને દૂર કરવા પડશે. એને સ્પષ્ટ કરતાં અનુભવ પ્રકાશમાં કહેવામાં આવ્યું છેઃ જે પર (પોતાનાથી ભિન્ન) છે, અર્થાત્ જે પોતાનું નથી, તેને પોતાનું માનીને પોતાના જ આપાભાવ (હું-મારુંનો ભાવ)થી તું દુઃખી બનેલો છે. તને દુઃખ દેનારો કોઈ બીજો નથી, તારી જ ભાવનાએ તારો ભવ (સંસાર) બનાવ્યો છે, અજન્મા (જન્મરહિત આત્મા) ને જન્મ આપ્યો છે. પોતાનાથી ભિન્ન (પર)ને જોઈને તે પોતાને ભૂલાવી દીધો - આ રીતે આ અવિદ્યા તારી જ ફેલાયેલી છે. આ અવિદ્યાભાવથી જે કર્મ કરવામાં આવે છે તેમનામાંથી તું આત્મભાવને કાઢી લે. પછી આત્મભાવ નીકળી જતાં જડ કર્મ તારું કંઈ પણ બગાડી શકશે નહીં, અર્થાત્ તું નિષ્કર્મ અને નિર્વિકારી બની રહેશે. આ પ્રમાણે
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy