SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ 187 આ જ પ્રમાણેનું વર્ણન પ્રસ્તુત કરતાં આચાર્ય અમિતગતિ પણ કહે છે કે દુઃખમય સંસાર-વનમાં ભટકતા રહેનારા જીવ માત્ર ગુસ્ના બતાવેલા માર્ગ પર ચાલીને જ બધાં સંકટોથી બચીને સુરક્ષિત મોક્ષરૂપી નગરમાં પહોંચી શકે છેઃ આ દુઃખો રૂપી હાથીઓથી ભરેલા અને હિંસા વગેરે પાપોના વૃક્ષોને રાખનારા તથા ખોટી ગતિરૂપી ભીલોના પલ્લિઆ (દુષ્ટવૃત્તિઓવાળાના ગામો)ના ખોટા માર્ગમાં નિત્ય પટકનારા સંસાર વનમાં સર્વ જ પ્રાણીઓ ભટક્યા કરે છે. આ વનની વચ્ચે જે ચતુર પુરુષ સુગુસ્ના બતાવેલા માર્ગમાં ચાલવાનું શરૂ કરી દે છે તે પરમાનંદમય, ઉત્કૃષ્ટ અને સ્થિર એક નિર્વાણરૂપી નગરમાં પહોંચી જાય છે.44 અસંખ્ય જન્મોથી જીવની આંતરિક આંખ બંધ પડી છે. એ કારણે તેને પોતાની-જાતનું જ્ઞાન નથી. તે પોતાના અંતરમાં પ્રવેશ કરીને પોતાના પરમાત્મારૂપનું દર્શન કરવામાં અસમર્થ છે. જ્યારે સરરૂપી નેત્ર-વૈદ્ય પોતાની યુક્તિ દ્વારા જીવના અજ્ઞાનરૂપી પડદાને હટાવે છે, ત્યારે જીવની આંતરિક આંખ ખૂલે છે. ત્યારે તે પોતાની અંદર અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્માના દર્શન કરવામાં અને અનંત સુખને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. અનુભવ પ્રકાશમાં એ તથ્યને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ જેમ કોઈનો જન્મ થયો અને તે જન્મથી જ પોતાની આંખ પર ચામડી લપેટેલો સંસારમાં આવ્યો. તેની આંખોની અંદર પ્રકાશ જેમનો તેમ હતો, પરંતુ બાહ્ય ચામડીથી ઢંકાયેલો રહેવાને કારણે તેને પોતાનું શરીર સૂઝતું ન હતું. જ્યારે કોઈ આંખોનો વૈદ્ય મળ્યો, ત્યારે તેણે બતાવ્યું કે ચામડીની અંદર પૂરી જ્યોતિવાળી તેની આંખ છે અને તે વૈદ્ય યુક્તિ દ્વારા લપેટાયેલી ચામડીને દૂર કરી દીધી. ત્યારે તે બાળકને પોતાનું શરીર આપોઆપ સૂઝવા લાગ્યું અને અન્ય ચીજો પણ દેખાવા લાગી. આ પ્રમાણે અનાદિ કાળથી જ્ઞાન-ચક્ષુ (આંતરિક આંખો બંધ પડેલી ચાલી આવી રહી છે. આ કારણે પોતાનું આંતરિક સ્વરૂપ દેખાતું
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy