________________
ગુરુ
અર્થ – વીતરાગી મહાત્મા અથવા સાચા સંત સદ્ગુરુ શત્રુ કે મિત્ર પ્રતિ, સોના કે કાચના પ્રતિ, નિંદા કે સ્તુતિ કરનારાના પ્રતિ અને સત્કારપૂર્વક પૂજા કરનારા અથવા તલવારથી પ્રહાર કરનારા પ્રતિ સદા સમતા ધારણ કરીને રહે છે. આ પ્રમાણેનો સમત્વ-વિચાર રાખીને આત્મસ્વરૂપમાં સ્થિરતાથી લીન રહેનારા મહાત્માને જે અકથનીય (વચનથી કહી ન શકાય તેવો) આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદ દેવતાઓના રાજા ઇન્દ્ર, નાગોના રાજા વાસુકિ, ચક્રવર્તી રાજા કે પોતાની–જાતને બધાનો સ્વામી માની બેસનારા અભિમાનીને મળવાની વાત ક્યારે પણ કહી શકાતી નથી, અર્થાત્ આ બધાને તે આનંદ ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતો નથી.
185
સાચા ગુરુના સમતા ભાવનો ઉલ્લેખ કરતાં જૈન કવિ ભૂધરદાસજી પણ પોતાના હૃદયમાં તેમના દર્શનની લાલસા રાખીને બન્ને હાથ જોડીને તેમને આ વિનંતિ કરે છેઃ
તે મુનિવર ક્યારે મળશે ઉપકારી ટેક ।। કંચન કાચ બરાબર જેમને, જેમ શત્રુ
મહેલ મસાણ મરણ અને જીવન, સમ ગરિમા અને ગાળી. ।।વે ૦।। જોડી જુગલ કર ‘ભૂધર’વિનવે, તે પદની લાલશા અમારી,
ભાગ ઉદયથી દર્શન જ્યારે પામું, તે દિન પર બલિહારી. ।।વે 0 40
તેમ હિતકારી,
અર્થ – ખબર નથી તે શ્રેષ્ઠ પરોપકારી મુનિવર અથવા મહાત્મા મને ક્યારે મળશે જેમના માટે સોનું અને કાચ, શત્રુ અને હિતેષી મિત્ર, મહેલ અને સ્મશાન ભૂમિ, મરણ અને જીવન તથા પ્રશંસા અને ગાળ એક સમાન છે. ભૂધરદાસજી બન્ને હાથ જોડીને વિનંતી કરે છે કે મને તો તેમના જ ચરણોમાં પહોંચવાની લાલસા છે. હું તે દિન પર બલિહાર જઈશ જે દિવસે મારું ભાગ્ય ઉદય થશે અને હું તેમનાં દર્શન પ્રાપ્ત કરીશ.
સાચા ગુરુ વાસ્તવમાં પરમાત્માનું સાકાર રૂપ હોય છે. જૈન ધર્મમાં પરમાત્માના બે રૂપ બતાવવામાં આવ્યાં છેઃ એક સકલ (શરીર સહિત) અને બીજું નિષ્કલ (શરીર રહિત) આ બન્ને ભેદોને સમજાવતાં ાણ-સાર (જ્ઞાન-સાર)માં કહેવામાં આવ્યું છેઃ