________________
178
જેને ધર્મ સાર સંદેશ છતાં પણ આ પંક્તિમાં તેમના મુખ્ય ગુણોની તરફ સંકેત કરતાં આ કહેવામાં આવ્યું છે કે સાચા ગુરુ પરમ દયાળુ હોય છે, તેમને સત્ (અવિનાશીતત્ત્વ)નો પૂર્ણ અનુભવ પ્રાપ્ત હોય છે અને તેઓ કૃપા કરી જીવોના કલ્યાણ માટે તેમને સત્નો જ ઉપદેશ આપે છે. આ જ કારણે તેમને સંસ્કૃતમાં “સદ્ગ’ અને હિન્દીમાં “સતગુરુ” અથવા “ગુરુ” કહે છે. જેને સત્નો યથાર્થ અનુભવ હોતો નથી તે સત્નો ઉપદેશક થઈ શકતો નથી. એટલા માટે કાનજી સ્વામી મુમુક્ષુ (મોક્ષના ઈચ્છુક) જીવોને સાવધાન કરતાં કહે છેઃ
મુમુક્ષુ જીવોએ એ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જેમણે સત્નો અનુભવ કર્યો હોય- એવા “સત્પુરુષોની પાસે જ સત્નો ઉપદેશ મળી શકે છે, પરંતુ જેમણે “સત્નો અનુભવ જ કર્યો નથી – એવા અજ્ઞાનીઓની પાસેથી ક્યારેય સ–ઉપદેશની પ્રાપ્તિ થતી નથી.ર6
જો કોઈ એ પ્રશ્ન કરે કે શું આપણે પોતાની-જાતે સનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તો તેને સમજાવી શકાય છે કે સાધારણતઃ જે જ્ઞાન આપણે પોતાની-જાતે પ્રાપ્ત કરીએ છીએ તે પોતાની ઇંદ્રિયો અને મન દ્વારા જ કરીએ છીએ. પરંતુ ઇંદ્રિયો અને મન દ્વારા માત્ર સાંસારિક પદાર્થોનું જ જ્ઞાન થાય છે જે બધા અસત્ (નશ્વર) છે. સનું જ્ઞાન ઇંદ્રિયો અને મન દ્વારા થતું નથી. તે જ્ઞાન અતીન્દ્રિય (ઇંદ્રિયોથી પર) છે. એને માત્ર આંતરિક ધ્યાન કે સમાધિ દ્વારા પોતાના અંતરમાં અનુભવ કરવામાં આવે છે. સાચા ગુરુ તે જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી જ પોતાના અનુભવના આધારે બીજાઓને આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે અને તેનો માર્ગ બતાવે છે. સાચા ગુરુના ઉપદેશના વિના સત્ન જ્ઞાન ઇંદ્રિયો અથવા મન-બુદ્ધિ દ્વારા પહેલેથી જ ક્યારેય કોઈને પ્રાપ્ત થયેલું હોતું નથી. આ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ કોઈ સાધક કેવલી (સર્વજ્ઞ) ગુરુનું પદ પ્રાપ્ત કરે છે.આ જ્ઞાનની પ્રાપ્તિથી તેને અનંત સુખ, અનંત શક્તિ આદિ અન્ય બધા સદ્ગણ સહજ જ પ્રાપ્ત થઈ જાય છે અને તે સાચા ગુરુનું પદ પ્રાપ્ત કરીને જીવોનો સાચો હિતોપદેશી બની જાય છે.
વાસ્તવમાં સત્નો અનુભવ કરનારા સદ્ગુરુ અથવા અરહંત (અરિહંત) દેવની કૃપાથી જ કોઈ સાચો શિષ્ય ગુરુ-પદની પ્રાપ્તિ કરે છે. તેમની કૃપા