________________
176
જૈન ધર્મ સાર સંદેશ નથી. તેઓ અપાર કૃપા કરીને અને ઘોર કષ્ટ ઉઠાવીને જીવોને જગાડે છે, તેમને સન્માર્ગમાં લગાવે છે અને તેમને સદાને માટે સુખી બનાવવાનો અથાક પ્રયાસ કરે છે. સંત સદ્ગક્ની અનુપમ કૃપાનો ઉલ્લેખ કરતાં કાનજી સ્વામી કહે છેઃ
અહા જીવોને હિતપંથમાં લગાવવા માટે સંતોએ ઘણા અનુગ્રહથી ઉપદેશ આપ્યો છે. મિથ્યાત્વાદિ ભાવ(આત્માથી ભિન્ન પદાર્થોમાં હું-મારુંનો ભાવ વગેરે) જ સંસારની જાળ છે, તેમાં ફસાઈને જીવ ચાર ગતિમાં ભટકે છે અને દુઃખી થાય છે. તેને દુઃખમાંથી છોડાવીને સુખનો અનુભવ કરાવવા માટે શ્રીગુએ આ વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે.
તેથી દુઃખહારી સુખકારી, કહે શિખગુરુ કરુણાધાર, તેમને સાંભળો મન સ્થિર કરી, જો ચાહો પોતાનું કલ્યાણ.
હે ભાઈ! તમારા પોતાના જ કલ્યાણ માટે આ ઉપદેશને તમે અંગીકાર કરો. આત્મહિતના અભિલાષી મુમુક્ષુ જીવો! ગૃહીત-અગૃહીત (ગ્રહણ કરેલા અને ગ્રહણ ન કરેલા) બધા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને છોડીને અને શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અંગીકાર કરીને આત્મકલ્યાણના માર્ગમાં લાગો, પરાશ્રયભાવરૂપ (પારકામાં આત્મભાવરૂપ) આ સંસારમાં ભટકવાનું છોડો, મિથ્યાત્વવાદી ભાવોનું સેવન છોડો અને સાવધાન થઈ ને આત્માને રત્નત્રયની આરાધનામાં જોડો.22
સદ્ગક્ના આ પ્રમાણે સમજાવવાથી અને પોતાના ઉદ્ધારનો સુઅવસર સામે આવતાં પણ જો મૂઢ પ્રાણી તેમની વાતો ન માને, ઊલટું ઉપદ્રવ કરે અને તેમને કષ્ટ આપવાનો પ્રયત્ન કરે તો પછી તેને કોણ બચાવે? તે પછી પોતાનું પોતે જ જાણે. એવા જીવના સંબંધમાં પંડિત ટોડરમલજી કહે છેઃ
જે પ્રમાણે ખૂબ દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય અને તે અવલોકન ન કરે, તથા જેવી રીતે કોઢીને અમૃત-પાન કરાવે અને તે ન કરે; તે જ પ્રમાણે સંસાર પીડિત જીવ સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનો નિમિત્ત બને અને તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો