________________
ગુરુ
165 અહીં સિદ્ધોથી પહેલાં અરહંતોને નમસ્કાર કર્યા તો કયા કારણે? એવો સંદેહ ઉત્પન્ન થાય છે. તેનું સમાધાન આ છેઃ- નમસ્કાર કરીએ છીએ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાથી કરીએ છીએ; તે અરહંતોથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે, એટલા માટે પહેલાં નમસ્કાર કર્યા છે.
હુકમચંદ ભારિત્યે પણ સાચા ગુરુ અરહંત ભગવાનને જીવના સાચા હિતકારી બતાવતાં જીવોના હિતની દૃષ્ટિએ તેમને સિદ્ધ ભગવાનથી પણ અધિક મહત્વપૂર્ણ માન્યા છે. તેઓ કહે છેઃ
અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી સાચા દેવ છે. ... સાચા દેવને પરમાત્મા, ભગવાન, આપ્ત (વિશ્વસનીય ઉપદેશક) આદિ નામોથી અભિહિત (પોકારવામાં) કરવામાં આવે છે. જો કે સામાન્ય કથનાનુસાર આ શબ્દો બધા એકાર્ણવાચી છે છતાં પણ આપ્ત શબ્દ પોતાની કંઈક અલગ વિશેષતા રાખે છે.
જે વીતરાગી અને સર્વજ્ઞ હોય તેઓ બધા ભગવાન છે, પરમાત્મા છે, સાચા દેવ છે. પરંતુ આખમાં એક વિશેષતા અધિક હોય છે જે અન્યમાં નથી. આપ્ત વીતરાગી અને સર્વજ્ઞ હોવાની સાથે-સાથે હિતોપદેશી પણ હોય છે. બધા ભગવાન હિતોપદેશી હોતા નથી. સિદ્ધ ભગવાનને તો વાણીનો સંયોગ છે જ નહીં. સાચા દેવની પરિભાષામાં હિતોપદેશી વિશેષણ આપ્તની અપેક્ષાથી છે.
પૂર્વ કાળમાં પૂર્ણ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષપદને પ્રાપ્ત કરી ચૂકેલા સિદ્ધ ભગવાનથી મોક્ષ-માર્ગનો ઉપદેશ દેનારા અરહંત ભગવાન (સાચા ગુરુ)નું અંતર બતાવતાં તેઓ ફરી કહે છેઃ
જો દેવ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે તો ગુરુ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેઓ એક રીતે ચાલતા-ફરતા સદેહ સિદ્ધ છે.*
અરહંત ભગવાનને સાચા “હિતોપદેશી બતાવતાં હુકમચંદ ભારિલ્લ ખૂબ જ સ્પષ્ટતા સાથે કહે છેઃ