________________
માનવ-જીવન
અને મોહની પટ્ટી બાંધીને આ સંસારમાં ઘૂમ્યા કરે છે. તેલીનો બળદ કોલુ અને ઘાણીની ચારેય તરફ ઘૂમે છે અને આ જીવ ચારેય ગતિઓમાં ઘૂમે છે.ઝ
કેટલાક અજ્ઞાની મનુષ્યો સાચો વૈરાગ્ય (અનાસક્તિ) અને આત્મજ્ઞાન ન થવા છતાં પણ સાધુનો વેશ બનાવીને લોકોને ઠગતા ફરે છે. આ પ્રમાણે તેઓ પોતાના દુર્લભ મનુષ્ય-જીવનને નાહક બરબાદ કરી દે છે. એને સ્પષ્ટ કરતાં કુંથુસાગરજી મહારાજ કહે છેઃ
જે અજ્ઞાની અને આત્મજ્ઞાનથી રહિત પુરુષ વૈરાગ્ય અને આત્મજ્ઞાનને ધારણ કર્યા વિના જિનલિંગ (જૈન સાધુનો વેશ) ધારણ કરે છે તેનો આ મનુષ્ય-જન્મ પણ વ્યર્થ જ જાય છે.
161
શુભચંદ્રાચાર્યએ આવા મનુષ્યોના પાંખડી આચરણને અત્યંત જ નિંદનીય કહ્યું છે. તેઓ કહે છેઃ
કેટલાય નિર્દય અને નિર્લજ્જ સાધુપણામાં પણ અતિશય નિંદા કરવા યોગ્ય કાર્ય કરે છે. તેઓ સાચા કલ્યાણના માર્ગનો વિરોધ કરી નરકમાં પ્રવેશ કરે છે. ...જે મુનિ (સાધુ) થઈને તે મુનિ-દીક્ષાને જીવનનો ઉપાય (સાધના) બનાવે છે અને તેના દ્વારા ધનોપાર્જન (ધનની કમાણી) કરે છે, તેઓ અતિશય નિર્દય તથા નિર્લજ્જ છે.57
મનુષ્ય-જીવનનું લક્ષ્ય પોતાના આત્માના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને પરમાત્મા બનવાનું છે. પરંતુ જ્યાં સુધી બૂરા કર્મોની તરફ પ્રેરિત કરનારા બૂરા ભાવ જીવની અંદર ઘર કરીને રહે છે અને તે આત્માથી ભિન્ન સાંસારિક વિષયોમાં આસક્ત રહે છે, ત્યાં સુધી તેની આત્મિક ઉન્નતિ થઈ શકતી નથી, ઊલટું તેની અધોગતિ જ થાય છે.
પરમાત્મા બનવાની શક્તિ રાખનારો મનુષ્ય જો પોતાની શક્તિઓનો સદુપયોગ ન કરીને ઊલટું તેમનો દુરુપયોગ કરે છે તથા અન્ય જીવો પર દયા ન