SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન 159 નથી ચાહતો અથવા ભ્રમવશ તેમને ભૂલી જાય છે તો નિઃસંદેહ તે પશુથી પણ બદતર (વધારે ખરાબ) પોતાના જીવનને મનુષ્યત્વ અને કર્તવ્યહીન બનાવીને બરબાદ કરતો કાગડાને ઉડાવવા માટે કિંમતી રત્નને ફેંકી દેવાની મૂર્ખતા કરે છે; કારણ કે માનવ-જીવનનો ઉદ્દેશ્ય પશુઓની જેમ જેમ-તેમ પેટ ભરી લેવાનો અને ભોગ વિલાસ કરી લેવાનો જ નથી.ગ ચંપક સાગરજી મહારાજે પણ આવા જ વિચારો પ્રગટ કર્યા છે. તેઓ ક્યું છેઃ આવા દુર્લભ મનુષ્ય ભવ (જન્મ)ને પામીને જે મૂર્ખ ધર્મની સાધનામાં યત્ન કરતો નથી, તે મહાન કષ્ટથી પ્રાપ્ત કરેલા ચિંતામણિ રત્નને આળસથી સમુદ્રમાં ફેંકી દે છે.32 તેઓ ફરી કહે છેઃ આ અપાર સંસારમાં મહાકષ્ટથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને જે મનુષ્ય વિષયસુખની તૃષ્ણામાં અત્યંત આસક્ત થઈ આત્મ ચિંતવન, જિનેન્દ્ર પૂજા, ગુરુ-વંદના, જિન-વાણીનું શ્રવણ, સ્વાધ્યાય, સંયમ ... વગેરે ધર્મને કરતો નથી તો તે મૂર્ખ શિરોમણિ ધર્મરૂપી જલદી તારનાર જહાજને છોડીને વિષયાસક્તિ (આસક્ત)રૂપી પથ્થરને ગળામાં લગાવીને આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે, અર્થાત્ ભ્રમણ કરે છે.? આવાગમનના ચક્યાંથી નીકળવાનો એકમાત્ર અવસર, માનવ-જીવનને સાંસારિક વિષયોના લોભ અને મોહમાં ચાલતાં બરબાદ કરવો, એ આંધળાના જેલની દિવાલને ફંફોળતાં તેના એકમાત્ર દરવાજા પર આવવાના સમયે શરીરને ખંજવાળવાના અથવા અન્ય આ જ પ્રકારના કામમાં લાગી જવાના કારણે તેનાથી ન નીકળી શકવા સમાન છે. એવું કરવાથી તે જેલમાંથી નીકળવાના એકમાત્ર અવસરને ખોઈ દે છે. આ ઉપમા દ્વારા ચંપક સાગરજી મહારાજ મનુષ્ય-જીવનના આ એકમાત્ર અવસરને હાથમાંથી ન નીકળવા દેવા માટે આપણને સજાગ કરે છે. તેઓ કહે છેઃ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy