SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન જે મહાપુરુષોએ પોતાને જાણ્યા તેઓ જ પરાત્મા પદના અધિકારી બન્યા.35 મનુષ્ય-જીવન પામીને પણ જેઓ પશુઓની જેમ માત્ર ખાવા-પીવા, સૂવા વગેરેમાં જ પોતાનું જીવન વિતાવી દે છે, તેને મનુષ્ય કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. મનુષ્ય તે જ છે જે વિવેકપૂર્વક આવશ્યક નિયમોનું પાલન કરે અને પોતાના જીવનમાં સદા સંયમથી કામ લે. સંયમ અને નિયમથી રહીને જ તે આત્માનુભવ માટે સફળ પ્રયત્ન કરી શકે છે અને આ તે પ્રમાણે પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. આ વાતોને સ્પષ્ટ કરતાં ગણેશપ્રસાદ વર્ણી કહે છે ઃ નિયમનું ઉલ્લંઘન કરવું આત્મઘાત (આત્મવિનાશ)નું પ્રથમ ચિહ્ન છે. અહિંસા, અક્રોધ, સચરિત્રતા, આત્મ-શુદ્ધિ વગેરે સંયમો અને નિયમોની તરફ સંકેત કરતાં તેઓ ફરી કહે છેઃ માનવતા તે વિશેષ ગુણ છે જેના વિના માનવ, માનવ કહેવડાવી શકતો નથી. માનવતા તે વ્યવહારનું નામ છે જેનાથી બીજાઓને દુઃખ ન પહોંચે, તેમનું અહિત ન થાય, એકબીજાને જોઈને ક્રોધની ભાવના જાગૃત ન થાય. સંક્ષેપમાં સહૃદયતાપૂર્ણ શિષ્ટ અને મિષ્ટ (મીઠાસ યુક્ત) વ્યવહારનું નામ માનવતા છે. મનુષ્ય તે જ છે જે આત્મોદ્ધારમાં પ્રયત્નશીલ હોય. મનુષ્યતા તે જ આદરણીય હોય છે જેમાં શાંતિમાર્ગની અવહેલના ન હોય. મનુષ્યનો સૌથી મોટો ગુણ સદાચારિતા અને વિશ્વાસપાત્રતા છે. મનુષ્ય તે જ છે જે પોતાની પ્રવૃત્તિને નિર્મળ કરે છે. 151 જો મનુષ્ય પ્રત્યેક વસ્તુ સદુપયોગથી જ લાભદાયક થાય છે. (જન્મ)નો સદુપયોગ કરવામાં આવે તો દેવોને પણ તે સુખ જે મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે.37 પર્યાય નથી
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy