SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન 147 સંસારમાં કોટિ-કોટિ જન્મ ધારણ કરી લીધા પછી પણ પ્રાપ્ત ન થનારો આ અતિ દુર્લભ મનુષ્ય-જન્મ પામીને મારો આ પ્રમાદ (લાપરવાહી) કેવો!26 પશુ-પક્ષી પોતાનું જીવન કેવળ ખાવા-પીવા, સૂવા વગેરેમાં વિતાવી દે છે પરંતુ મનુષ્ય કેવળ જીવવા માટે સંસારમાં આવતો નથી. તેના જીવનનો ઉદ્દેશ્ય છે પોતાનું કલ્યાણ કરવું, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરવી. આ જાણતા હોવા છતાં કે આ ઉદ્દેશ્યની પૂર્તિ કેવળ મનુષ્ય-જીવનમાં જ થઈ શકે છે, મનુષ્ય માટે ઇચ્છનીય છે કે તે પ્રમાદ અથવા લાપરવાહીને પૂરી રીતે ત્યાગીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે. શુભચંદ્રાચાર્યએ એવો જ ઉપદેશ પોતાના જ્ઞાનાર્ગવમાં આપ્યો છે. તેઓ કહે છેઃ મનુષ્ય-જન્મ અતિ દુર્લભ છે. માત્ર જીવિત રહેવું નિઃસાર (સારહીન) છે. આવી અવસ્થામાં મનુષ્ય આળસ ત્યાગીને પોતાના હિતને જાણવું જોઈએ. તે હિત મોક્ષ જ છે. જે ધીર અને વિચારશીલ મનુષ્યો છે, તથા અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ)ની લાલસા રાખે છે, તેમણે પ્રમાદ (લાપરવાહી) છોડીને આ મોક્ષનું જ સેવન પરમ આદર ભાવથી કરવું જોઈએ, અર્થાત્ અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી મોક્ષ-પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેવું જોઈએ.’ અનંત કાળ અને અનેક કઠિનાઈઓ બાદ પ્રાપ્ત થનાર મનુષ્ય-જીવન પારમાર્થિક સાધના કરવાનો એકમાત્ર દુર્લભ અવસર છે. એટલા માટે એને મુખ્યતઃ ધર્મની સાધના અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં જ લગાવવું જોઈએ. એનો દુરુપયોગ સાંસારિક વિષય-સુખો માટે, જે અનિત્ય, સારહીન અને અન્તતઃ દુઃખદાયી છે, કરવો જોઈએ નહીં. આ બતાવતાં કે ધર્મ-સાધનાના આ અવસરને પ્રાપ્ત કરવો wલો કઠિન છે, આચાર્ય પદ્ધનંદિ કહે છેઃ આ સંસારમાં અનંત કાળ ભ્રમણ કરતાં કરતાં પણ જીવને મનુષ્યતાની પ્રાપ્તિ થતી નથી, જો થાય છે તો પણ દુષ્કુળમાં, જ્યાં પ્રાપ્ત થવા
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy