________________
માનવ-જીવન
147
સંસારમાં કોટિ-કોટિ જન્મ ધારણ કરી લીધા પછી પણ પ્રાપ્ત ન થનારો આ અતિ દુર્લભ મનુષ્ય-જન્મ પામીને મારો આ પ્રમાદ (લાપરવાહી) કેવો!26
પશુ-પક્ષી પોતાનું જીવન કેવળ ખાવા-પીવા, સૂવા વગેરેમાં વિતાવી દે છે પરંતુ મનુષ્ય કેવળ જીવવા માટે સંસારમાં આવતો નથી. તેના જીવનનો ઉદ્દેશ્ય છે પોતાનું કલ્યાણ કરવું, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરવી. આ જાણતા હોવા છતાં કે આ ઉદ્દેશ્યની પૂર્તિ કેવળ મનુષ્ય-જીવનમાં જ થઈ શકે છે, મનુષ્ય માટે ઇચ્છનીય છે કે તે પ્રમાદ અથવા લાપરવાહીને પૂરી રીતે ત્યાગીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે. શુભચંદ્રાચાર્યએ એવો જ ઉપદેશ પોતાના જ્ઞાનાર્ગવમાં આપ્યો છે. તેઓ કહે છેઃ
મનુષ્ય-જન્મ અતિ દુર્લભ છે. માત્ર જીવિત રહેવું નિઃસાર (સારહીન) છે. આવી અવસ્થામાં મનુષ્ય આળસ ત્યાગીને પોતાના હિતને જાણવું જોઈએ. તે હિત મોક્ષ જ છે.
જે ધીર અને વિચારશીલ મનુષ્યો છે, તથા અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ)ની લાલસા રાખે છે, તેમણે પ્રમાદ (લાપરવાહી) છોડીને આ મોક્ષનું જ સેવન પરમ આદર ભાવથી કરવું જોઈએ, અર્થાત્ અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી મોક્ષ-પ્રાપ્તિની સાધનામાં લાગેલા રહેવું જોઈએ.’
અનંત કાળ અને અનેક કઠિનાઈઓ બાદ પ્રાપ્ત થનાર મનુષ્ય-જીવન પારમાર્થિક સાધના કરવાનો એકમાત્ર દુર્લભ અવસર છે. એટલા માટે એને મુખ્યતઃ ધર્મની સાધના અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં જ લગાવવું જોઈએ. એનો દુરુપયોગ સાંસારિક વિષય-સુખો માટે, જે અનિત્ય, સારહીન અને અન્તતઃ દુઃખદાયી છે, કરવો જોઈએ નહીં.
આ બતાવતાં કે ધર્મ-સાધનાના આ અવસરને પ્રાપ્ત કરવો wલો કઠિન છે, આચાર્ય પદ્ધનંદિ કહે છેઃ
આ સંસારમાં અનંત કાળ ભ્રમણ કરતાં કરતાં પણ જીવને મનુષ્યતાની પ્રાપ્તિ થતી નથી, જો થાય છે તો પણ દુષ્કુળમાં, જ્યાં પ્રાપ્ત થવા