________________
માનવ-જીવન
143
આ જાણતા-સાંભળતા હોવા છતાં પણ કે આ મનુષ્ય-જીવન વીજળી સમાન ચંચળ અને ક્ષણભંગુર છે, જે મનુષ્ય પોતાના આત્માના કલ્યાણની પરવા ન કરતાં સાંસારિક વિષયોમાં જ આસક્ત બનેલા રહે છે, તેમને ભ્રમિત ચિત્તવાળા અથવા પાગલ ન કહીએ તો શું કહીએ? આ જ ભાવને વ્યક્ત કરતાં આચાર્ય પદ્ધનંદિ આપણને સાંસારિક વિષયોથી અનાસક્ત રહેવાનો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છે:
જે મનુષ્ય એ જાણતો, જોતો અને સાંભળતો હોવા છતાં પણ કે જીવન, યૌવન તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ અને ધનાદિક વીજળી સમાન ચંચળ છે – કોઈપણ એમનામાં સ્થિર રહેનાર નથી - પોતાનું કાર્ય - પોતાના આત્મહિતની સાધના - કરતો નથી - મોહમાં ફસાયેલો એમનાથી આસક્ત બનેલો રહે છે – તેને પાગલ કહીએ, ગ્રહ પીડિત (ભૂત વળગેલું) સમજીએ અથવા ભ્રાન્તચિત્ત નામ આપીએ, કંઈ જ સમજમાં આવતું નથી!s
ચંપક સાગરજી મહારાજ આ મનુષ્ય-જીવનને ભાડાનું મકાન કહીને એની અનિત્યતા દેખાડે છે. તેઓ કહે છેઃ
શરીર તો એક રીતે સંસારી જીવે થોડા સમય સુધી ભાડા પર લીધેલું એક ઘર છે. નિયત સમય પછી આ ભાડાનું મકાન જીવે નિયમથી ખાલી કરવું પડે છે.16
મનુષ્ય-જીવનની અનિત્યતા અથવા ક્ષણભંગુરતાને જેનામામૃતમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે.
જે પ્રમાણે પક્ષીગણ વિવિધ દિગ્દશાન્તરોથી આવીને સંધ્યાકાળના સમયે વૃક્ષો પર વસી જાય છે અને પ્રાતઃકાળ થતાં જ બધાં પોતપોતાના કાર્યથી પોત-પોતાના દેશો અને દિશાઓમાં ચાલ્યાં જાય છે, તે જ પ્રમાણે આ સંસારી જીવ વિભન્ન ગતિઓથી આવીને એક કુટુંબમાં જન્મ લે છે અને આયુ પૂરી થતાં પોત-પોતાના કર્મોદયના