SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન 143 આ જાણતા-સાંભળતા હોવા છતાં પણ કે આ મનુષ્ય-જીવન વીજળી સમાન ચંચળ અને ક્ષણભંગુર છે, જે મનુષ્ય પોતાના આત્માના કલ્યાણની પરવા ન કરતાં સાંસારિક વિષયોમાં જ આસક્ત બનેલા રહે છે, તેમને ભ્રમિત ચિત્તવાળા અથવા પાગલ ન કહીએ તો શું કહીએ? આ જ ભાવને વ્યક્ત કરતાં આચાર્ય પદ્ધનંદિ આપણને સાંસારિક વિષયોથી અનાસક્ત રહેવાનો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગવાનો ઉપદેશ આપે છે. તેઓ કહે છે: જે મનુષ્ય એ જાણતો, જોતો અને સાંભળતો હોવા છતાં પણ કે જીવન, યૌવન તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ અને ધનાદિક વીજળી સમાન ચંચળ છે – કોઈપણ એમનામાં સ્થિર રહેનાર નથી - પોતાનું કાર્ય - પોતાના આત્મહિતની સાધના - કરતો નથી - મોહમાં ફસાયેલો એમનાથી આસક્ત બનેલો રહે છે – તેને પાગલ કહીએ, ગ્રહ પીડિત (ભૂત વળગેલું) સમજીએ અથવા ભ્રાન્તચિત્ત નામ આપીએ, કંઈ જ સમજમાં આવતું નથી!s ચંપક સાગરજી મહારાજ આ મનુષ્ય-જીવનને ભાડાનું મકાન કહીને એની અનિત્યતા દેખાડે છે. તેઓ કહે છેઃ શરીર તો એક રીતે સંસારી જીવે થોડા સમય સુધી ભાડા પર લીધેલું એક ઘર છે. નિયત સમય પછી આ ભાડાનું મકાન જીવે નિયમથી ખાલી કરવું પડે છે.16 મનુષ્ય-જીવનની અનિત્યતા અથવા ક્ષણભંગુરતાને જેનામામૃતમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે. જે પ્રમાણે પક્ષીગણ વિવિધ દિગ્દશાન્તરોથી આવીને સંધ્યાકાળના સમયે વૃક્ષો પર વસી જાય છે અને પ્રાતઃકાળ થતાં જ બધાં પોતપોતાના કાર્યથી પોત-પોતાના દેશો અને દિશાઓમાં ચાલ્યાં જાય છે, તે જ પ્રમાણે આ સંસારી જીવ વિભન્ન ગતિઓથી આવીને એક કુટુંબમાં જન્મ લે છે અને આયુ પૂરી થતાં પોત-પોતાના કર્મોદયના
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy