SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ-જીવન જીવનમાં આપણે કેટલા શ્વાસ લેવાના છે. આપણને એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે પ્રત્યેક શ્વાસની સાથે આપણા જીવનની સીમિત આયુ ઘટતી જઈ રહી છે અને આપણે કોઈપણ સમયે મૃત્યુના મુખમાં જઈ શકીએ છીએ. આ જ વાતને સમજાવતાં આચાર્ય પદ્મનંદિ કહે છેઃ ઃ ક્ષણક્ષણમાં જે આયુનો ક્ષય થાય છે તે યમ-મુખ છે. તે યમમુખમાં – કાળના ગાલમાં બધાં પ્રાણી ગયેલા છે – બધાની આયુ પ્રતિક્ષણ છીજતી (ઘટતી જાય) છે. - 141 સમય અનંત છે અને અનંત સમયની દૃષ્ટિથી જો મનુષ્ય-જીવનને જોઈએ તો લાગશે કે આ પાણીના પરપોટા સમાન છે, જે એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે વિલીન થઈ જાય છે. આચાર્ય પદ્મનંદિએ સ્પષ્ટ કહ્યું છેઃ અમ્ભોબુદ્ધ્દ-સન્નિભા તનુરિયમ્ । આ શરીર જળના પરપોટા સમાન ક્ષણભંગુર છે. પાણીના પરપોટા સાથે જ આ શરીરની ઉપમા આપતા ચંપક સાગરજી મહારાજ કહે છેઃ : પાણીનો પરપોટો જેટલી વાર સ્થિર રહે તેટલી વારનું આશ્ચર્ય કરવું જોઈએ, તેના નષ્ટ થવાનું કોઈ આશ્ચર્ય નથી. આ ભૌતિક શરીર પાણીના પરપોટા સમાન છે. જ્યારે પણ એ નષ્ટ થઈ જાય તો તેમાં શું આશ્ચર્યની વાત છે? લોકો કહે છે કે ‘હમણાં અમારી ઉંમર નથી, થોડું ખાઈ પી લઈએ, મોજ શોખ કરી લઈએ, સંસારના વિષયો ભોગવી લઈએ, કંઈક રંગરેલિયો (મોજમજા) કરી લઈએ, મોટા થઈ જતાં ત્યાગ કરી દઈશું, ધર્મ કરી લઈશું, દીક્ષા ગ્રહણ કરી લઈશું'. પરંતુ તેમને બધું દેખાતું હોવા છતાં પણ એ વિશ્વાસ કેવી રીતે થઈ ગયો કે ધર્મ કરવા માટે તેઓ જે વૃદ્ધ અવસ્થા વિશે વિચારી રહ્યા છે, તે વૃદ્ધ અવસ્થા સુધી તેઓ પહોંચી પણ શકશે? આપણે જોઈએ છીએ કે પિતા બેઠા હોય છે, પુત્ર મૃત્યુનો શિકાર થઈ જાય છે.2
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy