SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 136 જૈન ધર્મઃ સાર સંદેશ સમયે તે બધાંનું મૃત્યુ થઈ જાય છે, એટલા માટે મદિરા-પાનમાં હિંસા નિયમથી થાય જ છે.50 મદિરા-પાન અનેક વિકારોને ઉત્પન્ન કરે છે અથવા એમ કહો કે મદિરાપાન અનેક દુર્ગુણોનું રૂપ લઈ લે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ અભિમાન, ભય, જુગુપ્સા (નિંદા), હાસ્ય, અરતિ, (અશાંતિ) શોક, કામ, ક્રોધ-વગેરે હિંસાના જ પર્યાયવાચી નામ છે અને તેઓ બધાં જ મદિરા-પાનના નિકટવર્તી છે. આ કથનોથી સ્પષ્ટ છે કે માંસ-મદિરા વગેરે તામસિક અને નશીલા પદાર્થના સેવનની પ્રવૃત્તિ હિંસાને ઉત્તેજન આપે છે અને હિંસાનો અભિમાન,કામ,ક્રોધ વગેરે વિકારો સાથે અત્યંત નિકટ સંબંધ છે. એટલા માટે આ બધા વિકારોથી બચવા, પોતાના જીવનમાં પવિત્રતા લાવવા અને પરમાર્થની રાહ પર ચાલવા માટે હિંસાની સાથે જ માંસ-મદિરાનો પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. શુદ્ધ અને સાત્ત્વિક ખાણી-પીણી તથા સદાચારમય જીવન-આ પારમાર્થિક સાધનાના આધાર છે. શુદ્ધ આહાર અને પવિત્ર આચરણને અપનાવ્યા વિના પારમાર્થિક સાધનામાં સફળ થવાની અને અવિનાશી સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશા કરી શકાતી નથી. વાસ્તવમાં શુદ્ધ આહાર અને સદાચાર વિના કોઈ પારમાર્થિક સાધનાનો અધિકારી કે પાત્ર જ બનતો નથી. એ જ ભાવને વ્યક્ત કરતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ શુદ્ધ સાત્ત્વિક સદાચારી જીવન વિના સુખ-શાંતિ પ્રાપ્ત થવી તો દૂર, સુખશાંતિ પ્રાપ્ત કરવાના ઉપાય સમજવાની પાત્રતા પણ ઉત્પન્ન થતી નથી. એટલા માટે જૈન ધર્મમાં અહિંસાનો સર્વાધિક મહિમા બતાવતાં માંસમદિરાના સેવનનો પૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે.
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy