SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 128 જૈન ધર્મ સાર સંદેશ ધર્મના નામ પર જીવોને મારનારાઓ, માર્યા ગયેલા જીવોના માંસ ખાનારાઓ તથા આ પ્રમાણેના ઉપદેશોને આપનારાઓ-એ બધા નરકના અધિકારી બને છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ જે માંસને ખાનારાઓ છે તેઓ સાતમા નરકના રૌરવાદિ (નરકો)માં પ્રવેશ કરે છે અને ત્યાં જવાનો ઘાત કરનારા શિકારી વગેરે પણ પીડિત થાય છે. ભાવાર્થ – જેઓ જીવઘાતક માંસભક્ષી પાપી છે, તેઓ નરકમાં જ જાય છે અને જેઓ જીવઘાતને જ ધર્મ માનીને ઉપદેશ આપે છે તેઓ પોતાના અને બીજાના-બન્નેના ઘાતક છે; તેથી તેઓ પણ નરકને જ પાત્ર છે.38 જેમનો વિવેક નષ્ટ થઈ ગયો છે તેઓ જ એવું વિચારી શકે છે કે બીજા જીવોનો બલિ ચઢાવવાથી કે તેમને મારવાથી મારનારાનું વિદન ટળી જશે અને તેને સુખ-શાંતિ પ્રાપ્ત થઈ જશે. બીજાઓની હત્યા કરવાના કે તેમને દુઃખ દેવાના ફળસ્વરૂપે હિંસકને સુખ-શાંતિ કેવી રીતે મળી શકે છે? બીજાઓની હિંસા કરવી આમ જ એક અનર્થ છે. પછી ધર્મના નામ પર હિંસા કરવી તો ઘોર અનર્થ છે. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ પોતાની શાંતિ અર્થે કે દેવપૂજા તથા યજ્ઞ અર્થે જે મનુષ્યો જીવઘાત (જીવ હિંસા) કરે છે તે ઘાત પણ જીવોને શીધ્ર જ નરકમાં નાંખે છે. કુળક્રમ થી જે હિંસા ચાલી આવી છે તે તે કુળનો નાશ કરવા માટે જ કહેવામાં આવી છે તથા વિદનની શાંતિના અર્થે જે હિંસા કરવામાં આવે છે તે વિના સમૂહને બોલાવવા માટે જ છે. ભાવાર્થ-કોઈ કહે કે અમારા કુળમાં દેવી આદિનું પૂજન ચાલતું આવ્યું છે, તેથી અમે બકરાં, ભેંસોનો ઘાત કરીને દેવીને ચઢાવીએ છીએ અને એનાથી કુળદેવીને સંતુષ્ટ થયેલી માનીએ છીએ તથા એવું કરવાથી કુળદેવી કુળની વૃદ્ધિ કરે છે, આ પ્રમાણે શ્રદ્ધા કરીને જે બકરા વગેરેની હિંસા કરવામાં આવે છે તે કુળના નાશ માટે જ હોય છે, કુળવૃદ્ધિ માટે કદાપિ નહીં. તથા કોઈ-કોઈ અજ્ઞાનીઓ વિન શાન્તર્થ (વિદનની શાંતિ માટે) હિંસા કરે છે અને યજ્ઞ કરાવે છે. તેમને ઉલટું વિદન
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy