________________
અહિંસા
117 જાય છે, જેમ કે ઝાડું મારવું, રસોઈ બનાવવી, ઘરની ધોલાઈ-સફાઈ વગેરે કામોને સાવધાનીપૂર્વક કરવા છતાં પણ કેટલાક જીવોને કષ્ટ થઈ જાય છે કે તેમનું મૃત્યુ થઈ જાય છે. (3) ઉદ્યોગી હિંસા તે છે જે ખેતીવાડી કરવામાં, યંત્ર-કારખાનાં ચલાવવા વગેરે રોજી-રોજગારનાં કામોને સાવધાનીપૂર્વક કરવામાં પણ થઈ જાય છે. (4) વિરોધી હિંસા તે છે જે પોતાની તથા પોતાના પરિવાર, સમાજ, દેશ વગેરેની દુષ્ટો, આતતાવિયાં (અત્યાચારીઓ) વગેરેથી રક્ષા કરવા માટે અનિચ્છાપૂર્વક કરવામાં આવે છે.
ગૃહસ્થ સંકલ્પી (ઇરાદા પૂર્વકની) હિંસાનો તો ત્યાગ અવશ્ય કરી દેવો જોઈએ. પરંતુ બાકીની ત્રણ પ્રકારની હિંસાનો પૂર્ણ ત્યાગ તેના માટે સંભવ નથી. એટલા માટે જૈન ધર્મમાં ગૃહસ્થ માટે અહિંસા મહાવ્રત (બધી અવસ્થાઓમાં બધા પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ)ને બદલે અહિંસા અણુવ્રત (પરિસ્થિતિ અનુસાર યથાસમ્ભવ હિંસાનો ત્યાગ)નું વિધાન કરવામાં આવે છે. ખેતીવાડી વગેરે કામોમાં લાગેલા ગૃહસ્થ માટે સ્થાવર અને એક ઈન્દ્રિયવાળા ઝાડ-છોડ કે વનસ્પતિઓની હિંસાથી બચી શકવું સંભવ નથી. એટલા માટે ગૃહસ્થ શાંતિપૂર્વક ધર્મ અનુસાર જીવન વ્યતીત કરતાં કરતાં અહિંસા અણુવ્રતનું પાલન કરવું જોઈએ. અર્થાત્ તેમણે સંકલ્પી હિંસાનો પૂર્ણ ત્યાગ કરીને પોતાના ઇરાદાથી બે થી પાંચ ઈન્દ્રિયવાળા ત્રસ (ચાલનારો) જીવોની હિંસા કરવી જોઈએ નહીં અને આવશ્યકતા વિના વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવની પણ યથાસંભવ રક્ષા કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. પુરુષાર્થસિદ્ધયુયાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
ગૃહસ્થથી એક ઇંદ્રિય જીવોની હિંસાનો ત્યાગ થઈ શકતો નથી, એટલા માટે જો યોગ્ય રીતથી કાર્ય કરતાં કરતાં એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે તો ભલે થાય, એ સિવાય વ્યર્થ અને અસાવધાનીથી કાર્ય કરવામાં જે એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે તેનો તો અવશ્ય જ ત્યાગ થવો જોઈએ.'
શાંતિપૂર્વક ધાર્મિક જીવન વ્યતીત કરનાર ગૃહસ્થ ન ચાહવા છતાં પણ આવશ્યક પરિસ્થિતિઓમાં પોતાની અને પોતાના પરિવાર કે સમાજની