________________
જૈન ધર્મઃ સાર સંદેશ
જૈન ધર્મમાં હિંસાને સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે. આચારાંગ સૂત્રમાં એનાથી બચીને રહેવા માટે પ્રબળ તર્ક આપવામાં આવ્યો છે કે જેને તું મારવા યોગ્ય, બાંધવા યોગ્ય અથવા પીડા આપવા યોગ્ય માને છે તે અન્ય નથી, તું જ છેઃ
110
તુમંસિ નામ સચ્ચેવ જ અંતર્વાંતિ મણસિ તુમંસિ નામ સચ્ચેવ જં અજ્જાવેયવંતિ મસિ તુમંસિ નામ સચ્ચેવ જં પરિયાવેયવંતિ મણસિ તુમંસિ નામ સચ્ચેવ જં પરિધેતવંતિ મણસિ તુસિ નામ સચ્ચેવ જં ઉયવંતિ મણસિ
અર્થ- તે તું જ છે જેને તું હંતવ્ય (મારવા યોગ્ય) માને છે. તે તું જ છે જેને તું આજ્ઞપયિતવ્ય (આજ્ઞામાં રાખવા લાયક) માને છે. તે જ છે જેને તું પરિતાપયિતવ્ય (પરિતાપ કે પીડા આપવા યોગ્ય) માને છે. તે તું જ છે જેને તું પરીગ્રહીતવ્ય (દાસ બનાવવા હેતુથી પરિગ્રહ કે સંગ્રહ કરવા યોગ્ય) માને છે, તે તું જ છે જેને તું અપાવયિતવ્ય (મારવા યોગ્ય) માને છે.
એમનું તાત્પર્ય આ છે કે જ્યારે તું કોઈની હિંસા કરવા ચાહે છે ત્યારે હિંસા કોઈ અન્યની નથી, તે તારી જ હિંસા છે, કારણ કે પહેલાં તારી જ શુભવૃત્તિની હિંસા થાય છે પછી અન્યની હિંસા થાય છે. અતઃ હિંસા એક રીતે સ્વ-હિંસા જ છે.10
...
વાસ્તવમાં મનુષ્ય પોતાના આંતરિક હિંસાત્મક અને અહિંસાત્મક ભાવોને કારણે જ હિંસક અને અહિંસક થાય છે. એ જ કારણ છે કે એક જ વ્યકિતની હિંસા કરવાથી અનેક વ્યકિત હિંસાના ફળને ભોગવવાના ભાગીદાર બને છે. એનાથી વિપરીત બાહ્ય રીતે અનેક વ્યકિતઓ દ્વારા હિંસાનું કાર્ય કરવા છતાં પણ એક જ વ્યકિત વિશેષરૂપે હિંસાના ફળનો ભાગીદાર હોય છે. ઉદાહરણ માટે, જો કોઈ એક વ્યકિત કોઈને મારે છે અને ઘણા-બધા લોકો તેને સારો કહે અને પ્રસન્નતાનો અનુભવ કરે છે તો તે બધા તો હિંસાના ફળના ભાગીદાર હોય છે. બીજી બાજુ જો એક અત્યાચારી રાજા પોતાના અનેક સિપાઈઓને કોઈ