SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ lol જીવ, બંધન અને મોક્ષ છે; તેને સિદ્ધ ન કરે અને બીજાઓને સંભળાવવાનો અભિપ્રાય હોય, તો તે મિથ્યાદૃષ્ટિ છે.. ઘણા બધા લોકો માનવા લાગે તો આપણને લાભ છે? અને કોઈ ન માને તો હાનિ છે? ના, એવું નથી... જ્ઞાન ભ્યાસ તો પોતાના માટે કરવામાં આવે છે, તેનું નિમિત્ત પામીને બીજાનું ભલું થવાનું હોય, તો થાય છે.” શાસ્ત્રના જ્ઞાની થવું સરળ છે, પરંતુ તેના અનુસાર આચરણ કરવું કઠિન છે. કેવળ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી અને તેનો દેખાડો કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણને કથની છોડીને કરણી કરવાની આવશ્યકતા હોય છે. શાસ્ત્ર અને ગુરુના બતાવાયેલા જ્ઞાન અનુસાર જ્યારે સાધક સદાચારના નિયમોનું પાલન કરતાં કરતાં આંતરિક અથવા અંતર્મુખી સાધનામાં તત્પરતાપૂર્વક લાગે છે, ત્યારે જ તેને સમ્યક ચારિત્રનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે; એને ભલે આત્માના સાચા સ્વરૂપનો અનુભવ કહો, સાચું આત્મજ્ઞાન કહો, સમ્યફ ચારિત્રની પરિણતિ કહો કે મોક્ષની પ્રાપ્તિ કહો. આમ તો જૈન ધર્મમાં સદાચારના ઘણા બધા નિયમો બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમનામાં અહિંસા, સત્ય, અચૌર્ય (ચોરી ન કરવી), શીલ(બ્રહ્મચર્ય) અને અપરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ ન કરવો) જ મુખ્ય છે. એમને પંચવત કહેવામાં આવે છે. આ વ્રતોનું પૂરી કઠોરતાથી પાલન કરવું સંન્યાસીઓ માટે આવશ્યક છે. તેમના આ વ્રતોને પંચમહાવ્રત કહેવામાં આવે છે. પરંતુ ગૃહસ્થો માટે આ વ્રતોમાં કેટલીક ઢીલ આપવામાં આવી છે. તેમને પંચઅણુવ્રત કહેવામાં આવે છે. જૈન ધર્મમાં અહિંસાને પરમ ધર્મ અથવા સર્વશ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે, કારણ કે એનું સારી રીતે પાલન કરવાથી શેષ ચારેય વ્રત એની અંદર જ આવી જાય છે. “અહિંસા' નામના આગળના અધ્યાયમાં એના પર વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવશે. કેટલાક લોકો પાપ કર્મને મિટાવવા માટે પુણ્ય કર્મ કરે છે. પરંતુ પુણ્ય કર્મ દ્વારા પાપ કર્મને મટાવી શકાતું નથી. શુભ ફળની ઇચ્છા રાખીને કર્મ કરવાથી તે કર્મનું ફળ અવશ્ય મળે છે, પરંતુ પુણ્ય કર્મ પાપ કર્મને કાપતું નથી. એટલા માટે જૈન ધર્મમાં ઈચ્છારહિત થઈને પોતાના ઉચિત દાયિત્વ (જવાબદારી)ને નિભાવતાં સમ્યક ચારિત્રના નિયમોનું પાલન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy