SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મષથી ઝગડા થાય છે, આત્મઘાત-ખૂન પણ થાય છે,ધર્મ બેટવાય છે ૨૩ પિતે હંમેશ માટે દર્શન-પૂજા–સામાયિક-પ્રતિકમણ, પતિની આજ્ઞા મેળવીને, તેમની બધી સેવાઓને જરાપણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય, બરાબર આરાધતી હતી. સાસુ-સસરાની બધી જરૂરિયાત, જિનમતી પોતે જ સાચવતી હતી. સાસુ-સસરાને પણ જિનમતી પ્રત્યે પિતાની, પુત્રી જેવો જ વાત્સલ્ય ભાવ હતો. તે પણ સો મણ દૂધપાકના ભાજનમાં, એક રતલ સેમલ (ઝેર)ના જે, પિતાનો અને જિનમતીનાં માતાપિતાને ધર્મભેદ. કયારેક ઈર્ષાનું કારણ થઈ જતો હતો. એકવાર શેઠ-શેઠાણીને એકાન્તમાં સંવાદ ચાલ્યા. શેઠજી પત્નીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આપણું પુત્રવધૂ ખૂબ સારી છે હે ! એની વડીલે પ્રત્યે નમ્રતા કેટલી સરસ છે? પૂજ્ય બુદ્ધિને તે પાર જ નથી. કામ કરવાની સ્કૃતિ પણ ગજબનાક છે. આપણા બુદ્ધિધનને પણ ખૂબ ગમે છે. શેઠાણી (શેઠને ઉદેશીને) તે બધું ઘણું સારું છે જ; મેં તે મારી પોતાની દીકરીમાં આવું ક્યારે પણ જોયું નથી. મારી દીકરીએ મને આવા ઘરકામમાં મને કયારે પણ નિશ્ચિત બનાવી ન હતિ. પરંતુ આ વહુ જ્યારથી આપણું ઘરમાં આવી છે, ત્યારથી તેણીએ મને એક પણ કામ કરવા દીધું નથી. પરંતું આટલું કામ કરનારી, આટલી સેવા બજાવનારી હોવા છતાં, આપણી આ પુત્રવધૂમાં એક મોટો અવગુણ છે. શેઠજી : દૂધમાં પિરા શોધવા જેવું શું શેધી કાઢ્યું? શેઠાણીઃ તમને ચોવીસે કલાક ઘરમાં રહે છે, તે પણ કશું ધ્યાનમાં નથી આવતું, એ નવાઈ લાગે છે. આ કરી શ્રાવકની દીકરી છે. શ્રાવકના પુસ્તક ભણેલી છે. જ્યારે જ્યારે કામ પતાવી નવરી પડે છે કે, એના ધર્મનાં પુસ્તકો વાંચે છે. તેના બાપના ઘેર જઈ નાહી ધોઈ, પૂજાના વસ્ત્રો પહેરી, પૂજાની વસ્તુઓ લઈ, જેનેના દહેરાસરે જાય છે. પૂજા વિગેરે કરે છે. જૈનેના ઉપાશ્રયે કથા સાંભળવા જાય છે. આપણુ દીકરાની વહુ હોવા છતાં, આપણા મંદિરમાં પગ પણ મૂકતી નથી. આપણું પુસ્તકોને હાથમાં પણ પકડતી નથી. આપણું ધર્મગુરુઓને પગે લાગતી નથી. આપણું પર્વોને ઓળખતી પણ નથી. પરંતુ વહુના રૂપમાં રંગાએલો આપણે બુદ્ધિધન પણ એનું ગવરાવ્યું ગાય છે. એનું ખવરાવ્યું ખાય છે. વહુ લઈ જાય ત્યાં જાય છે. વહુ કરાવે તે થાય છે. તેથી કયારેક કયારેક, આપણાથી છાને, તેના સાસરા અને સાળાઓ સાથે, જેનેના મંદિરમાં અને ઉપાશ્રયમાં પણ જવા લાગે છે. આ સંસારને ધિક્કાર અપાય તેટલા ઓછા છે. મહાપુણ્યદયથી છવ મનુષ્ય ગતિ પામે છે. આર્યક્ષેત્રમાં અને આર્યકુળમાં જન્મે છે પણ બિચારા આત્મા ઉપર પક્ષપાતના બંધનની બેડીઓ જકડાઈ જાય છે. તેથી ઉત્તમ કુળમાં જન્મેલી બાળા હેય, ધર્મશાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, જીવાજીવાદિ નવ તત્વ સમજાયા હોય, પુણ્ય પાપના કારણે જાણવા મળ્યા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy